Western Times News

Gujarati News

૩૧ ડીસેમ્બરે કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૮ મી જયંતી ઉજવાશે

અમદાવાદ: સહજાનંદસ્વામીએ ફરેણીમાં ઈ.સ. તા ૩૧-૧૨-૧૮૦૧ ના રોજ પોતાનું સ્વામિનારાયણ નામ પ્રસિધ્ધ કર્યુ. – સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૩૧-૧ર-૨૦૧૯ ડીસેમ્બર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૮ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે સવારે પ-૩૦ થી ૮-૦૦ સુધી પ્રાર્થના, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવશે. શ્રી સ્વામિનારયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, સહજાનંદસ્વામીએ ફરેણીમાં તા ૩૧-૧૨-૧૮૦૧ ના રોજ પોતાનું સ્વામિનારાયણ નામ પ્રસિધ્ધ કર્યુ હતું. ત્યારથી આ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાય છે. અને સૌ સંતો ભકતો નિત્ય સ્વામિનારાયણ મંત્ર ના નામની માળા ફેરવે છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભકિત કરે છે. જે સ્વામિનારાયણ નામ જપે છે તેને ભગવાન અંતકાળે તેડવા માટે આવે છે. અને પોતાના અક્ષરધામમાં લઈ જઈને શાશ્વત સુખને પમાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.