Western Times News

Gujarati News

અત્યાર સુધી દેશમાં ૧૪ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ ફાંસી અપાઇ

નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં મંગળવારનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોની વિરૂધ્ધ જેથ વોરંટ જારી કરી દીધા છે.ત્યારબાદ ૨૨ જાન્યુઆરીએ તે ચારેયને સવારે સાત વાગે ફાંસી આપવામાં આવશે એ યાદ રહે કે ગત ૧૪ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ પશ્ચિમ બંગાળના અલીપુર સેન્ટ્રલ જેલમાં ધનંજય ચેટર્જીને તેના ૪૨માં જન્મ દિવસે જ ફાંસી આપી દેવામાં આવી હતી તેને એક સગીરની સાથે રેપ અને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

દેશમાં ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ૨૬/૧૧ મુંબઇ હુમલાના એકમાત્ર જીવતા પકડાયેલ આતંકીને ફાંસી આપવામાં આવી હતી તેને પુણેની યરવદા જેલમાં ફાસી અપાઇ હતી. ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ સંસદ હુમલાના દોષી મોહમ્મદ અફઝલ ગુરૂને ફાંસી અપાઇ હતી તેને તિહાડ જેલની અંદર જ ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ૩૦ જુલાઇ ૨૦૧૫ના રોજ ૧૯૯૩ મુંબઇમાં થયેલ શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના દોષી યાકુમ મેનનને ફાંસી આપવમાં આવી હતી તેને મહારાષ્ટ્રના નાગપુર જેલમાં ફાંસીના માચડે ચઢાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.