Western Times News

Gujarati News

અમે ઈઝરાયેલ પર અણુ હુમલો કરવાનું કહ્યું જ નથી : પાક.નો ખુલાસો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ સતત વધુ ભીષણ થઈ રહ્યું છે

ફફડેલાં પાકિસ્તાને ઈરાનના દાવાને નકાર્યાે, પરંતુ તમામ મુસ્લિમ રાષ્ટ્રોને ઈઝરાયેલનો વિરોધ કરવા અપીલ કરી

તહેરાન,ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ સતત વધુ ભીષણ થઈ રહ્યું છે. ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ઈરાને દાવો કર્યાે હતો કે, ઈરાન પર અણુ હુમલો થશે તો વળતા જવાબમાં પાકિસ્તાન દ્વારા ઈઝરાયેલ પર અણુ હુમલો કરવામાં આવશે. ઈરાનના આ દાવાએ
આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો હતો. હંમેશા પીઠ પાછળ વાર કરવા ટેવાયેલું પાકિસ્તાન પણ ઈરાનના આ દાવાથી ફફડી ઊઠ્યું હતું. પાકિસ્તાને ઈરાનના દાવાને નકારી આ યુદ્ધમાં ઝૂકાવવા ઈનકાર કર્યાે હતો.

ઈરાનીયન ટીવી પર ઈરાનની સીક્યુરિટી કાઉન્સિલના સભ્ય અને ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જનરલ મોહસીન રેઝીએ દાવો કર્યાે હતો કે, પાકિસ્તાન અને ઈરાનનો ભાઈચારો મજબૂત છે. ઈઝરાયેલ સામે મુસ્લિમ જગતે એક જૂથ થવાની જરૂર છે. ઈઝરાયેલ દ્વારા ઈરાન પર અણુ બોમ્બ ઝીંકવામાં આવે તો તેનો વળતો જવાબ પાકિસ્તાન આપશે અને ઈઝરાયેલ પર પાકિસ્તાન અણુ હુમલો કરશે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ઈરાનના આ દાવાને નકારી કાઢ્યો હતો.

ખ્વાજાએ સ્પષ્ટતા કરી હતી કે, અમારી ન્યૂક્લીયર ક્ષમતાનો હેતુ અમારા દેશનું રક્ષણ કરવાનો છે અને અમારા લોકોને લાભ કરાવવાનો છે.અમારા પડોશી દેશોમાં વિનાશ વેરવાની અમારી નીતિ નથી, પરંતુ હાલના દિવસોમાં ઈઝરાયેલ પડોશી દેશમાં વિનાશ વેરી રહ્યું છે. આસિફે આ ખુલાસો કર્યાે તેના થોડા સમય પહેલા પાકિસ્તાને વૈશ્વિક સમુદાયને અપીલ કરીને ઈઝરાયેલની અણુ ધમકીઓ ખાળવા જણાવ્યુ હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.