Western Times News

Gujarati News

સાબરમતી નદીમાં પૂરથી ચરોતરના ચાર તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાની

નડિયાદ, સાબરમતી નદીમાં પુર આવતા ખેડા અને માતર તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે.

મોટા ભાગના સીમાડાઓના ખેતરમાં પાણી છલોછલ ભરાઇ ગયુ હોવાને કારણે ડાંગરનો પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઇ છે.આણંદ જિલ્લામાં તારાપુર અને ખંભાત તાલુકાના ૧૪ ગામોને પણ ઉપરથી પાણી છોડવાને કારણે વ્યાપક અસર થવા પામી છે. આ વિસ્તારના નીચાણવાળા ખેતરોમાં પૂરના પાણી ફરી વળતાં ખેતી પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

ખેડા માતર તાલુકાના ગામડાઓમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. હાલમાં આ વિસ્તારમાં ડાંગરનુ વાવેતર કર્યું હતુ. તેમજ આ પાક પણ તૈયાર થઇ ગયો હોય તેવી સ્થિતીમાં હતો.

ત્યારે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી. મેસ્વો વાત્રક અને શેઢી નદી એમ કુલ ૭ નદીઓ નો સંગમ માતર તાલુકાના પાલ્લા ગામ પાસે થાય છે. જેને લઈને તમામ પાણીએ ખેડા અને માતર તાલુકાના નદી કિનારે રહેતા લોકો નું જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે.

માતર તાલુકાના રઢું, પથાપુરા, રસીકપુરા, પાલ્લા સહીત ના ગામોમાં ચોમાસા દરમિયાન અહીંના ખેડૂતો એ મોટા પ્રમાણમાં ડાંગર ની ખેતી કરી હતી. આ ડાંગર સહીત શાકભાજીના પાકમાં પુર ના પાણી ફરી વળતા તમામ જે પાક હતો તે ફેઈલ જાય તેવું લાગી રહ્યું છે.

તારાપુર તાલુકાના નભોઈ અને રીંઝા ગામમાં પાણી ફરી વળ્યાં હતા. ખંભાત તાલુકાના કેટલાક ગામોમાં પણ પાણી ફરી વળ્યાં હતા. આણંદ જિલ્લાના બે તાલુકાના કેટલાક ગામોના ખેતરો પાણી ડૂબી જતાં ડાંગરનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.