Western Times News

Gujarati News

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 18ના મોત

(એજન્સી)મેઘાલય, મેઘાલયના તાશ્ખાઈ વિસ્તારમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓછામાં ઓછા 18 કામદારોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. થાનિક વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કોલસાની ખાણમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. 18 people dead in Meghalaya coal mine blast;

અહેવાલો અનુસાર, તાશ્ખાઈ કોલસા ખાણમાં અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેના કારણે કામદારો અંદર ફસાઈ ગયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે અંદર કામદારો બહાર નીકળી શક્્યા નહીં. એવી શંકા છે કે બધા મૃતક કામદારો આસામના હતા, જોકે વહીવટીતંત્ર હજુ પણ સત્તાવાર પુષ્ટિ શોધી રહ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક કામદારોમાંથી એક આસામના કટીગરા વિસ્તારના બિહારા ગામનો હોવાનું માનવામાં આવે છે. અકસ્માતની માહિતી મળતાં, મેઘાલય પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ખાણમાં ફસાયેલા અન્ય કામદારોને શોધવા માટે સઘન શોધખોળ ચાલી રહી છે.

વહીવટીતંત્રે આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે અને બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે સુરક્ષા વધારી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં, ખાણમાં ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીને સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે તપાસ પૂર્ણ થયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

આ અકસ્માતે કામદારોની સલામતી અને ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. તેણે મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું પણ વચન આપ્યું છે. આ ઘટના બાદ મેઘાલય પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો હતો. જિલ્લા ડેપ્યુટી કમિશનરે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.