Western Times News

Gujarati News

Uddhav Thackeray: ઉદ્ધવ સેનાના ૬ સાંસદો શિંદે જૂથમાં જોડાશે, ઓમ બિરલાને સોંપ્યો પત્ર; જુઓ યાદી

મહારાષ્ટ્રમાં શિવસેના તૂટી, તો UPમાં સપામાં ભંગાણના એંધાણ! જાણો ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવના ટેન્શનનું કારણ

  • ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો: ૯માંથી ૬ સાંસદોએ છોડ્યો સાથ, સ્પીકરને પત્ર સોંપી શિંદે જૂથમાં જોડાવાની કરી જાહેરાત!

    UP Politics: અખિલેશ યાદવને લાગશે મોટો ઝટકો? સપાના નેતાઓ ભાજપમાં જોડાશે: યોગીના મંત્રીનો દાવો

  • Maharashtra Shiv Sena Split: ઉદ્ધવ ઠાકરે પાસે બચ્યા માત્ર ૩ સાંસદ, ૬ બળવાખોર સાંસદો શિંદે શિવસેનામાં સામેલ

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના ૬ સાંસદોએ બળવો પોકારી શિંદેની આગેવાની હેઠળના શિવસેનાને સમર્થન જાહેર કર્યું છે બીજી તરફ ઉત્તરપ્રદેશના રાજકારણમાં મોટા ઉથલપાથલના એંધાણ દેખાઈ રહયા છે. કેન્દ્રીય મંત્રી ઓમપ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે સપાના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહયા છે.

મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ મોટું ભંગાણ પાકું થઈ ગયું છે. શિવસેના યુબીટીના કુલ ૯ લોકસભા સાંસદોમાંથી ૬ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને પોતાને એકનાથ શિંદેની સેનાના સાંસદો માનવાનો આખરી નિર્ણય કરી લીધો છે. આ બળવાખોર સાંસદોએ નવી દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર સોંપીને સંસદમાં તેમને શિંદેના સાંસદો તરીકે માન્યતા આપવા સત્તાવાર વિનંતી કરી દીધી છે. આ ઘટનાક્રમ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપનારા ઉદ્ધવ જૂથના ૬ બળવાખોર સાંસદોમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલનો સમાવેશ થાય છે.

આ મોટા ભંગાણ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર ૩ જ સાંસદો બચ્યા છે, જ્યારે ૬ સાંસદો એકજૂથ થઈને અલગ થઈ ગયા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને બહુ મોટો ઝટકો લાગવાનો છે. રાજભરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ચર્ચા છોડી દો,

યુપીમાં તો આખી શિવસેનાની જેમ સપાના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈન લગાવીને બેઠા છે. આ નિવેદન બાદ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. ઓમ પ્રકાશ રાજભરે સપા નેતૃત્વ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, જેમ-જેમ વિવિધ કૌભાંડોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સકંજો કસાઈ રહ્યો છે, તેમ-તેમ સપાના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

તેમણે ખનન કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખા ઉત્તર પ્રદેશને ખબર છે કે આ મામલાઓમાં કોણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. જ્યારે પણ આ તપાસ આગળ વધે છે, ત્યારે સપા નેતાઓની પરેશાની આપોઆપ વધી જાય છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ સાજને રાજભરના આ નિવેદન પર આકરો પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઓ.પી. રાજભરની આદત માત્ર બકવાસ કરવાની જ છે અને તેઓ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે આવા પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.