Western Times News

Gujarati News

મ્યુ.કોર્પોરેશન એક સાથે વધુમા વધુ 20000 દર્દીઓની સારવાર કરી શકે છે :મ્યુ કર્મીશ્નર

અમદાવાદ શહેરમાં  કોરોના  ત્રીજા તબક્કામા અાવી ગયુ છે  તથા અાગામી સપ્તાહમાં  ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત વ્યક્તિ થઈ રહી છે રાજ્ય સરકારે જાહેર કરેલ લોક ડાઉનનો અમલ નાગરીકો કરી રહ્યા નથી તેથી પરિસ્થિતિમાં  વધુ જોખમી  બની શકે છે શહેરનાં  બે થી પાચં ટકા નાગરિકો પણ કોરોના ઝપટમાં અાવે  તો સારવાર કરવી મુશ્કેલ બની શકે છે મ્યુકોપો. પાસે વધુમા વધુ  20000 દર્દીઅોની જ સારવાર   કરવાની  ક્ષમતા છે તથા વેન્ટીલેટરની સંખ્યા પણ ખુબ જ અોછી છે  તેથી નાગરોકો દ્વારા  લોકડાઉનનો  યોગ્ય અમલ કરવામાં અાવે  તેવી અપીલ શહેર મેયર અને કમીશ્નરરે કરી છે

કોરોનાના કેર વચ્ચે શહેરમાં દિવસે દિવસે વકરતી જતી પરિસ્થિતિમાં મ્યુનિ. મેયર અને મ્યુનિ. કમિશનરે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં શહેરના તમામ નાગરીકોને અનુરોધ કર્યો હતોકે, આપણે આગામી બે સપ્તાહ સંયમમાં રહેવું પડશે. મ્યુનિ. તંત્ર 5, 10 કે 20 હજાર દર્દીઓની સારવાર કરવા સક્ષમ છે પરંતું જો આપણી ભુલોને કારણે લાખોની સંખ્યામાં કેસો આવવા લાગે તો મ્યુનિ. તંત્ર પણ અસક્ષમ બની શકે છે. મેયર બીજલબેન પટેલે જણાવ્યુંકે, હું માતાઓ અને બહેનોને ખાસ અપીલ કરું છુંકે, તમારા પરિવારને આ રોગથી બચાવવાની જવાબદારી તમારી છે. તેથી પરિવારને સભ્યોને બહાર ન નિકળવા દો.

મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુંકે, 80 લાખ લોકોના શહેરમાં જો 1 લાખ જેટલા કેસ આવે તો મ્યુનિ. તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. હું છેલ્લા બે કલાકથી અમદાવાદ શહેરનો રાઉન્ડ લઇ રહ્યો હતો, મેં જોયું કે, મોટાભાગની દુકાનો બંધ છે. પરંતુ હજુ પણ અનેક નાગરીકો જાણે કંઇ થયું જ ના હોય તેમ રસ્તા પર ફરી રહ્યા છે. એક વ્યક્તિ બહાર જાય છે તો તે તમામના જીવ જોખમમાં મુકે છે.

ખાસ કરીને વડીલોએ પણ મોર્નિંગ વોક માટે પણ જવાનું નથી. બાળકોએ પણ શેરીમાં નિકળી ગલી ક્રિકેટ રમવાની નથી. આપણે ઘરમાં છીએ ત્યાં સુધી સુરક્ષીત છીએ. અત્યાર સુધી જે રીતે નાગરીકોએ સુચનોનું પાલન કર્યું છે તે રીતે આગામી દિવસોમાં પણ પાલન કરશો તો આપણે આ રોગને હરાવી શકીશું. કમિશનરે ગઇકાલેની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યુંકે, ગઇકાલ જેવી ઘટના ફરીથી બનશે તો તમે સમગ્ર શહેરને મુશ્કેલીમાં મુકી શકો છો.  તમામ વિભાગો સંકલનમાં છે, હજારો કર્મચારીઓની ટીમ રસ્તા પર છે

રાજ્યના તમામ વિભાગો એકબીજાના સંકલનમાં કામ કરી રહ્યા છે. કોરોના સામેના જંગમાં પોલીસ તથા મ્યુનિ. તંત્ર સહિતના તમામ વિભાગો સંકલનમાં કામ કરી રહ્યા છે. હજારો કર્મચારીઓની ટીમ દુકાનો બંધ કરાવવાથી લઇને, ક્વોરન્ટાઇન લોકોના ઘર પાસે પોસ્ટર લગાવવા સહિતની કામગીરીમાં જોતરાયેલા છે.

અમદાવાદમાં કુલ 13 કેસ, સંસર્ગથી લાગેલો એક કેસ પણ સામે આવ્યો
અમદાવાદ શહેરના 12 અને જિલ્લાનો 1 મળી કુલ 13 કેસ સામે આવ્યા છે. જે પૈકી એક કેસ રાજસ્થાન જયપુરનો વ્યક્તિ છે. જ્યારે 11 કેસ મુળ અમદાવાદના છે, તે પૈકી 10 લોકો વિદેશ જઇને પરત આવ્યા હોય તેવા છે. માત્ર એક વ્યક્તિ એવી છે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિના ઘરે કામ કરવા ગયા હોય અને સંસર્ગમાં આવ્યાને કારણે ફેલાયાની ઘટના બની છે. તમામ દર્દીઓના પરિવારને કોરન્ટાઇનમાં મુકી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં  3976 દર્દીઅોના સ્કિનીગ કરવામાં અાવ્યા છે જે પૈકી 934 દર્દીઅો હાલ હોમ કવોરેન્ટાઈનમાં છે.
જ્યારે  અેસવીપી હોસ્પિટલમાં 13 અને સિવિલ હોસ્પિટલમાં  06 દર્દીઅો શંકાસ્પદ દર્દીઅો સારવાર હેઠળ છે મ્યુ. અારોગ્ય વિભાગ અત્યાર સુધી કુલ 102 દર્દીઅો સેમ્પલની ચકાસણી કરી છે જે પૈકી 12 પ્રોઝીટીવ અાવ્યા છે  જ્યારે 73 નેગેટીવ અાવ્યા છે  14 સેમ્પલના  રીપોર્ટ બાકી છે  મ્યુ.કોર્પો.ના અર્બન હેલ્થ સેન્ટોરમાં  75 ઈન્ટન ડોક્ટરોની ભરતી કરવામાં અાવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.