Western Times News

Gujarati News

ડૉ હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 73મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ભાગ લીધો

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ભારત દ્વારા લેવામાં આવેલા સમયસર, તબક્કાવાર અને સક્રિય પગલાં પર પ્રકાશ પાડતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તમામ જરૂરી પગલાં સમયસર લીધા છે જેમાં પ્રવેશ સ્થળોઓ દેખરેખ, વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની કામગીરી, મજબૂત બીમારી દેખરેખ નેટવર્ક દ્વારા વ્યાપક સામુદાયિક દેખરેખ, અગ્ર હરોળમાં સેવા આપી રહેલા 20 લાખથી વધુ કર્મચારીઓનું ક્ષમતા નિર્માણ, જોખમ અંગે કમ્યુનિકેશન અને સામુદાયિક સહભાગીતા વગેરે પણ સામેલ છે. મને લાગે છે કે, અમે ઘણું સારું કામ કર્યું છે. અમે સતત શીખી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આગામી મહિનાઓમાં અમે વધુ બહેતર કામ કરી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.