Western Times News

Gujarati News

પૂર્વ ડીજીપી એ.આઈ. સૈયદનું કોરોનાથી અવસાન

અમદાવાદ: રાજયના પૂર્વ ડીજીપી એ.આઈ. સૈયદને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું છે. એ.આઈ. સૈયદના અવસાનથી પોલીસ અધિકારીઓ શોકમગ્ન બની ગયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધવા લાગ્યા છે અનલોક-૧ માં પરિસ્થિતિ  વધુ ને વધુ ગંભીર બની રહી છે શહેરના અનેક વિસ્તારો રેડઝોન જાહેર કરાયા છે.

કોરોના વાયરસ અનેક પોલીસ કર્મીઓમાં પણ ફેલાયેલો છે ડોકટરો પણ કોરોનાનો ભોગ બન્યા છે આ પરિસ્થિતિમાં  રાજય પોલીસતંત્રમાં ખૂબ જ જાણીતા પૂર્વ ડીજીપી એ.આઈ. સૈયદની નાદુરસ્ત સ્થિતિ બનતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં   સારવાર દરમિયાન તેમની પરિસ્થિતિ  વધુને વધુ કથળવા લાગી હતી અને આખરે તેમનું અવસાન થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા છે સૈયદ સાહેબના અવસાનથી પોલીસ અધિકારીઓ પણ શોકમગ્ન બની ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.