ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ નયનાબેને પાણીની સમસ્યા બાબતે હવે જિલ્લાની પ્રજાને હેરાન નહી થવુ પડે તેવી બાંહેધરી આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/18-6-1024x768.jpg)
ખેડા જિલ્લા પંચાયત નડિયાદની આજે બપોરે એક વાગે સામાન્ય સભા મળી હતી . આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના ૧૩ કામો સર્વાનુમતે મંજુર થયાં હતાં . પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અઢી વર્ષના શાસનમાં જિલ્લામાં થયેલા વિકાસકામો વિપક્ષોના સાથ સહકારથી ખુબ જ સારા થયા હોવાનું પ્રમુખે જાહેરમાં જણાવ્યું હતું . તેમજ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યાને કારણે પ્રજાને પડતી તકલીફ દુર કરવા દેશ તાલુકાના ૨૨૪ ગામ માટે ૬૭૯ કરોડ સરકારે મંજુર કર્યા છે .
જેના પગલે હવે પછી જિલ્લામાં પાણીની સમસ્યા નહી સર્જાય તેવું તેમણે જણાવ્યું હતું . નડિયાદમાં આવેલ ખેડા જિલ્લા પંચાયતના સભા હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોશ્યલ ડિસ્ટન્સના નિયમોને પાળીને યોજાઈ હતી . જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં આવનાર તમામ સભ્યો તેમજ અધિકારીઓનું ટેમ્પરેચર ગનથી તાપમાનચેક ક્યબાદ સેનેટાઈઝરથી હાથ ધોવડાવી સભાખંડમાં પ્રવેશવા દીધાં હતાં .
સભાની શરૂઆતમાં નયનાબેન પટેલે તમામલોકોનું અભિવાદન કર્યું હતું . ત્યારબાદ એજન્ડા મુજબના ૧૩ કામો લીધાં હતાં . જેસર્વાનુમતે મંજુર થયાં હતાં . મોટાભાગના કામો ઓફિસ લગતાં હતાં . ખાસમાં કામ નં ૧૧ માં માતર તા.પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈનરસિંહભાઈ મકવાણાનું ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૧૯૯૩ ની કલમ ૬૮ ( ૧ ) ની જોગવાઈ મુજબ રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું . ત્યારબાદ જિ.પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે તેમના અઢી વર્ષના શાસન દરમિયાન જિ.પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોની રૂપરેખા રજુ કરી હતી . ખાસ કરીને પાણી પુરવઠા ક્ષેત્રે જિલ્લામાં સારી એવી સિધ્ધી પ્રાપ્ત કરી છે . તેવુ તેમણે જણાવ્યું છે .
જિલ્લાના ઘણાં ગામમાં પાણીની વિકટ સમસ્યાને લઈ જિ.પંચાયત દ્વારા પાણીની સમસ્યા દુર કરવા એક અભિયાન ચલાવ્યું હતું . જેમાં રજુઆતના મારા બાદ સરકાર તરફથી પાણી પુરવઠા યોજના મંજુર કરવામાં આવી છે . જેમાં મહેમદાવાદ , ખેડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ સાત તાલુકાના ૧૬ ર ગામો માટે પર ૦ કરોડ રૂપિયા તેમજ ઠાસરા અને ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજના હેઠળ બે તાલુકાના ૬ ર ગામો માટે ૧૫૯ કરોડ મળી ખેડા જિલ્લા માટે જુથ પાણી પુરવઠા યોજના હેઠળ જિલ્લાના ૧૦ તાલુકામાં ૨૨૪ ગામો માટે સરકારે ૬૭૯ કરોડ મંજુર ક્યાં છે . તે ખુબ જ સારી વાત છે તેમ જણાવ્યું હતું . કોઈ કારણસર વરસાદ ખેંચાય તો પણ જિલ્લામાં હવે કોઈ પાણીની સમસ્યાનહી સર્જાય એવુ તેમણે જણાવ્યું હતું . પ્રમુખ નયનાબેન પટેલે તમામ સભ્યોને જણાવ્યુ હતુ કે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે . ત્યારે તમારા વિસ્તારમાં પ્રજાને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા , માસ્ક ધારણ કરવા ,
વારંવાર હાથ ધોવા વગેરે બાબતે જાગૃતતા લાવવા કામ કરવા જણાવ્યું હતું . સભાના અંતમાં ચીન બોર્ડર પર શહીદ થયેલા ૨૦ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા બે મિનીટનું મૌન પાડવામાં આવ્યું હતું . આ સભામાં તમામ સભ્યો , જિ.પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ગઢવી , ધારાસભ્ય ઈન્દ્રજીત પરમાર , કાળુસિંહ ડાભી , કાંતિભાઈ પરમાર , અર્જુનસિંહ ચૌહાણ , વગેરે હાજર રહ્યાં હતાં .
અત્રે નોંધનીય છે કે મહુધા ના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારે શૌચાલયના બિલો મંજુર કરવામાં ડીઆરડી માં રૂ .૨૦૦૦ લેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો . જો કે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરવા બાંહેધરી આપી છે
(તસવીર સાજીદ સૈયદ નડિયાદ)