Western Times News

Gujarati News

ઉમલ્લા બજારની રેલ્વે ફાટક મંગળ અને બુધવાર બે દિવસ રિપેરિંગ માટે બંધ રખાશે

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેક અને ફાટકોનું રિપેરિંગ કામ હાથ ધરાયુ છે.તે અંતર્ગત ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે મુખ્ય બજારની રેલ્વે ફાટક બે દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.રાજપારડી સ્થિત રેલ્વે કાર્યાલયની એક યાદીમાં જણાવાયા મુજબ અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પર ઉમલ્લા મુખ્ય બજારની રેલ્વે ફાટક નં.૪૩ તા.૩૦ જુન મંગળવારના સવારના ૮ વાગ્યાથી તા.૧ જુલાઈ બુધવારના સાંજના ૬ વાગ્યા સુધી જરૂરી રિપેરિંગ માટે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં અાવશે.

તેથી આ સમય દરમ્યાન પાણેથા વેલુગામ સહિતના ગામોએ જવાવાળા વાહનો આ સ્થળેથી પસાર થઈ શકશે નહિં.વધુમાં જણાવાયા મુજબ આ બે દિવસો દરમ્યાન વાહનોને લેવલ ક્રોસીંગ નં.૪૬ અને એલએચએસ નં.૬૩ એ,૬૭ એ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.તેથી વાહનોએ અવર જવર માટે ડાયવર્ઝન અપાયેલ રસ્તેથી પસાર થવાનું રહેશે.પશ્ચિમ રેલ્વે દ્વારા અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પર ટ્રેક અને ફાટકોનું સમારકામ હાથ ધરવામાં આવેલ હોઈ તે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.