Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૨૮૦૦ વૃક્ષ ધરાશયી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં હરીચાળી ક્રાંતિ લાવવા માટે દર વરસે એક લાખ કરતા રોપા લગાવવામાં આવે છે જયારે ૨૦૧૯માં દસ લાખ કરતા વધુ વૃક્ષ માત્ર ચાર મહીનામાં જ લગાવવામાં આવ્યા હતા. તેના ઉછેર જતનની જવાબદારી વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓને સોપવામાં આવી છે. તેમ છતાં દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં ઝાડ કપાય છે. તેમજ ચોમાસાની સીઝનમાં ઝાડ પડી જાય છે.

મ્યુનિ. કમીશ્નર દ્વારા વિવિધ પ્રોજેકટો દર વર્ષે સરેરાશ બે હજાર ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવે છે. જયારે ચોમાસામાં સરેરાશ પ૦૦ જેટલા ઝાડ પડી જાય છે. ચાલુ વર્ષે ઝાડ પડવાની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. તથા શહેરીજનોએ શીતલછાંયો આપતા વડીલ સમાન ઝાડ ગુમાવ્યા છે. જેની ખોટ દસ લાખ રોપા પણ પુરી કરી શકે તેમ નથી !

મ્યુનિ.કોર્પોરેશનના શાસકો અને વહીવટીતંત્રની નિષક્રિયતા અને અણઆવડતના પરીણામે શહેરીજનો માટે ચોમાસાની સીઝન અત્યંત પીડાદાયક રહે છે. ચોમાસામાં ભુવા પડવા, રોડ તૂટવા, રોગચાળો વગેરે પ્રક્રિયા  લગભગ કાયમી થઈ ગઈ છે. સાથે-સાથે ઝાડ પણ મોટી સંખ્યામાં પડી રહયા છે. શહેરમાં છેલ્લા પાંચ ચોમાસામાં લગભગ ૨૮૦૦ જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશયી થયા છે. ચાલુ વર્ષે ૬ જુલાઈ સુધી ચોમાસામાં ૫૨૪ વૃક્ષ તૂટયા છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે ર૦૧૭, ૨૦૧૮, ર૦૧૯ અને ૨૦૨૦ ના વર્ષ દરમ્યાન સૌથી વધુ ઝાડ મધ્યઝોનમાં ધરાશયી થયા છે. ત્યારબાદ નવા પશ્ચિમઝોન  અને ઉત્તર પશ્ચિવમઝોનનો નંબર આવે છે. ચોમાસામાં ઝાડ પડી જવા માટેનું મુખ્ય કારણ ખોદકામ છે. મધ્યઝોનમાં મોટાપાયે બાંધકામો થાય છે. તદ્દઉપરાંત અંડરગ્રાઉન્ડ યુનીલીટી માટે પણ ખાનગી કંપનીઓ અને મનપા દ્વારા ખોદકામ થાય છે. જેના કારણે ઝાડ ના મુળ નબળા પડે છે. તથા વરસાદ અને પવનમાં ઝાડ પડી જાય છે. મ્યુનિ. કમીશ્નર તથા ઝોનના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને નજર અંદાજ કરી રહયા છે.

જેના માઠા પરીણામ ચોમાસામાં જાવા મળે છે. ૨૦૧૯માં ઝાડ પડવાની સંખ્યામાં થયેલ વધારા માટે “મીલીયન ટ્રીઝ” પ્રોજેકટ ને પણ જવાબદાર માનવામાં આવી રહયો હતો. મ્યુનિ. કમીશ્નરે ચોમાસા પહેલા સદ્દર પ્રોજેકટની જાહેરાત કરી હતી તથા પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના સ્ટાફને પ્રોજેકટની વિવિધ જવાબદારીઓ સોપી હતી જેના પરિણામે, સમયસર અને પુરતા પ્રમાણમાં ટ્રીમીંગ થઈ શકયા ન હતા.જ્યારે ૨૦૨૦માં કોરોના અને લોકડાઉન ના કારણે મજૂરોની અછત રહી છે. જેના કારણે સમયસર મોટા વૃક્ષો ટ્રીમિંગ થઈ શક્યા નથી.

મ્યુનિ.પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી ચોમાસાની સીઝનમાં ૨૭૯૦ ઝાડ પડી ગયા છે.૨૦૧૫માં ૬૮૩, ૨૦૧૬માં ૪૨૨, ર૦૧૭-માં પ૦૯,ર૦૧૮ માં પપ૦ તથા ર૦૧૯-માં ૬ર૬ નાના-મોટા ઝાડ ધરાશયી થયા છે.મધ્યઝોનમાં ચાર વર્ષ દરમ્યાન ૫૩૨ ઝાડ તૂટયા છે.જે તમામ ઝોન કરતા સૌથી વધુ છે. મધ્યઝોનમાં ર૦૧૭ ના વર્ષમાં ર૦પ,ર૦૧૮માં ૧૪૭ અનેર૦૧૯-માં ૧૩૩ ઝાડ તૂટી ગયા હતા.

જયારે ૨૦૨૦માં ૪૭ વૃક્ષો ધરાશાયી થયા છે. .જેની સામે સૌથી ઓછા રોપા પણ મધ્યઝોનમાં લગાવવામાં આવે છે. મધ્યઝોનમાં ખુલ્લી જગ્યાનો અભાવ હોવાથી ઓછા રોપા લાગે છે. શહેરના પશ્ચિમઝોનમાં  ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી ૨૫૯ ઝાડ તૂટ્યા હતા. જયારે ચાલુ વરસે ૬ જુલાઇ સુધી ૧૧૭ વૃક્ષો પડી ગયા છે. દક્ષિણઝોનમાં આ જ સમયગાળા દરમ્યાન કુલ ૩૪૮ અને ઉત્તરપશ્ચિમઝોનમાં ૪૩૬ ઝાડ તૂટ્યા છે.

ચોમાસાની સીઝનમાં જે ઝાડ પડી જાય છે. તેમાં ૪૦થી પ૦ વર્ષની ઉંમરના ઝાડની ટકાવારી વધુ હોય છે. ખોદકામ દરમ્યાન વૃક્ષના મુળ નબળા પડી જાય છે. તેમજ તેનું આયુષ્ય ઓછું થાય છે. નવા પશ્ચિમઝોનમાં પણ મોટા પાયે બાંધકામ ચાલી રહયા છે. નવા ડેવલપ થતા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ યુટીલીટી માટે પણ ખોદકામ કરવામાં આવે છે. જેના કારણે મધ્યઝોન પછી પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનનો નંબર આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.