Western Times News

Gujarati News

સાથ નિભાના સાથિયાનો નવો પ્રોમો સામે આવ્યો

મુંબઈ: સાથ નિભાના સાથિયાના ફેન્સ તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘રસોડે મેં કૌન થા’ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ સીરિયલ વિશે વાતચીત કરી રહ્યા છે.

મેકર્સે થોડા દિવસ પહેલા સીરિયલનો પહેલો પ્રોમો શેર કર્યો હતો, જેમાં સીઝન ૧ની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી ગેહના વિશે વાત કરતી જોવા મળી હતી,

જેની સ્ટોરી સીઝન ૨માં દર્શાવવામાં આવશે. હવે, સીરિયલનો ફ્રેશ પ્રોમો સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ બે નવા કેરેક્ટર્સ ગેહના અને અનંતનો ઈન્ટ્રો કરાવતી અને તેમની ટ્રેજિક સ્ટોરી વિશે વાત કરતી જોવા મળી રહી છે.

સીરિયલમાં ગેહનાનો રોલ સ્નેહા જૈન જ્યારે અનંતનો રોલ હર્ષ નાગર પ્લે કરશે. પ્રોમોમાં, ગેહના ઘરની નોકરાણીના તરીકે જોવા મળી રહી છે

અને તેની સ્થિતિ જોઈને અનંતને ખૂબ ખરાબ લાગે છે. તે તેના પરિવારને ગેહના પ્રત્યેનું તેમનું વર્તન સુધારવાનું કહે છે.

વીડિયોના અંતમાં ભવિષ્યમાં ગેહના અને અનંત ભેગા થશે તેવું દર્શાવવામાં આવ્યું છે. અઠવાડિયા પહેલા, શોમાંથી કલાકારોનો ફર્સ્‌ટ લૂક સામે આવ્યો હતો.

જેમાં દેવોલીના ભટ્ટાચાર્જી (ગોપી વહુ), કોકિલા બેન (રુપલ પટેલ), ઉર્મિલા (વંદના વિઠલાણી), હેતલ (સ્વાતિ શાહ) અને પરાગ (મનીષ અરોરા) ઘરમાં આરતી કરતાં જોવા મળ્યા હતા.

સાથ નિભાના સાથિયાની પાછલી સીઝનમાં કોકિલાબેનનું પાત્ર ભજવનારી રૂપલ પટેલ બીજી સીઝનમાં પણ જોવા મળશે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કોકિલાબેન ઉર્ફે રૂપલ પટેલે કહ્યું હતું કે, આ સીઝનમાં પણ રસોડામાં ઘણા ડ્રામા થશે.

રૂપલ મુજબ, જ્યારે તેમને મેકર્સ તરફથી સીરિયલની સીઝન ૨ માટે ફોન આવ્યો તો તેઓ એક્સાઈટેડ થઈ ગયા હતા.

શોની પહેલી સીઝન ૭ વર્ષ સુધી ચાલી હતી અને હવે બીજી સીઝન સાથે ફરીથી કલાકારો પાછા આવી રહ્યા છે. સાથ નિભાના સાથિયા ૨૦૧૭માં ઓફ-એર થઈ હતી.

હાલમાં તેનો એક સીન એડિટિંગ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે ફરીથી ચર્ચાનું કેન્દ્ર બની હતી. જે બાદ દર્શકોએ સીરિયલની બીજી સીઝન લાવવાની માગણી કરી હતી, જેને ધ્યાનમાં રાખીને મેકર્સે આ ર્નિણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.