Western Times News

Gujarati News

સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આતંકીઓને ઢાળી દેવાયા

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની પાકિસ્તાનની વધુ એક કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી છે.

ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં ત્રણ આતંકીઓને ઢાળી દેવાયા છે.જ્યારે આ ફાયરિંગ દરમિયાન ભારતીય સેનાના ચાર જવાનો પણ ઘાયલ થયા છે.

સૂત્રોએ કહ્યુ હતુ કે, પાકિસ્તાની સેનાએ આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે અખનૂર સેક્ટરમાં મંગળવારની સાંજથી ભારે ફાયરિંગ શરુ કર્યુહ હતુ.જેમાં ભારતીય સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતા.જોકે વળતી કાર્યવાહીમાં સેનાના જવાનોએ 3 આતંકીઓને ઢાળી દીધા હતા.

સૂત્રોનુ કહેવુ છે કે, માર્યા ગયેલા આતંકીઓની લાશો પાકિસ્તાન તરફની સરહદમાં પડી છે અને ભારતીય સેનાના જવાનોની બીકે હજી સુધી પાકિસ્તાને આ મૃતદેહો ઉઠાવવાની હિેંમત પણ કરી નથી.

નવા વર્ષમાં પાકિસ્તાને શસ્ત્ર વિરામનો મોટા પાયે ભંગ કર્યો હોય તેવો આ પહેલો કિસ્સો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.