ડાકોર નગરપાલીકાની બેદરકારીને કારણે દર્શનાર્થીઓ પરેશાન
(પ્રતિનિધિ) નડિયાદ, બોડાણા સર્કલ પાસે એલઇડી પોલ ઉભો કરવામાં આવ્યો છે જેના ખીલા બહાર નીકળેલા છે વળાંક અને બેરીગેટિંગ ને કારણે ગાડી ના ટાયર માં ખીલા પેસી જાય છે ડાકોર મંદિર થી બસસ્ટેન્ડ જવાના રસ્તા પર બોડાણા સર્કલ પાસે ડાકોર નગરપાલીકા એ એલઇડી પોલ નાખવામાં આવ્યો છે જે પોલ ના ખીલા ખુલા અને બહાર છે અને ગાડી ના યુટર્ન ને કારણે ખીલા દેખાતા નથી ટાયરો માં પેસી જાય છે જેને કારણે આખું ટાયર ફાટી જાય છે એક સાથે ત્રણ ખીલા ખુલ્લા છે જેને કારણે ડ્રાંઈવરો ની પણ ફરિયાદ ઉઠી રહી છે.
નગરપાલિકા દ્વારા એલીડી લાઈટના પોલ થી યાત્રીકો ના વાહનોને પડતી તકલીફો ગુજરાત રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સરકાર શ્રી દ્વારા યાત્રિકોને સગવડ પૂરી પાડવામાં તત્પર હોય છે ત્યારે ડાકોર નગર પાલિકા દ્વારા ઊભા કરાયેલા એલીડી પોલથી બહાર નીકળેલા બોલ્ટ થી યાત્રિકોને વાહનોને પંચર પડવા અને યાત્રિકોને ચાલતા ચાલતા ઠોકર વાગે ને પડવાના પણ બનાવો બન્યા છે નગરપાલિકા કોઈ મોટા અકસ્માતની રાહ જાેઈને ઉભું છે એવું લાગે છે ત્યારે ડાકોર નગર પાલિકા દ્વારા નાગરિકોને સુખાકારી માટે આવા પોલ ડાકોરમાં ઘણી બધી જગ્યાએ યાત્રિકોને અને રહીશોને પડતી વારંવાર મુશ્કેલીઓ નગરપાલિકા આવા પોલની વહેલી તકે ઉઠાવે તો સારી વાત છે થોડાક જ દિવસોમાં હોળીની પૂનમ આવી રહી છે ત્યારે આવા બધા પોલ યાત્રિકોને નડતર સ્વરૂપ રહેશે