Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલ-૧૪ સ્પર્ધક પવનદીપને કોરોનાનું સંક્રમણ

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ના સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજનને કોરોના થયો છે. હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે છેલ્લા થોડા દિવસોમાં ઘણાં કલાકારોને કોરોનાએ શિકાર બનાવ્યા છે. ત્યારે હવે કોરોના ઈન્ડિયન આઈડલ’ના સેટ સુધી પહોંચી ગયો છે. પવનદીપમાં કોરોનાના હળવા લક્ષણો જાેવા મળતાં તકેદારીના ભાગરૂપે તે ક્વોરન્ટીન થયો હતો. હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અઠવાડિયે પવનદીપે શો માટે શૂટિંગ નહોતું કર્યું. આ અઠવાડિયું જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજીને સમર્પિત છે. ત્યારે પવનદીપે વિડીયો કૉલ દ્વારા પર્ફોર્મન્સ આપ્યું હતું.

હાલ પવનદીપ હોટલના રૂમમાં ક્વોરન્ટીન થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શોના બાકીના કન્ટેસ્ટન્ટનો પણ ટેસ્ટ કરાવાયો છે. “કોઈપણ કન્ટેસ્ટન્ટમાં લક્ષણો નથી દેખાતાં પરંતુ તકેદારીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરાવાયો છે. જેથી સેટ પર સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીને ચેઈન તોડી શકાય, તેમ સૂત્રએ કહ્યું. પવનદીપ વિશે વાત કરતાં સૂત્રએ ઉમેર્યું, “તેનામાં થોડા લક્ષણો દેખાતાં જ તેને ક્વોરન્ટીન કરી દેવાયો અને કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. આ અઠવાડિયાનું તેનું પર્ફોર્મન્સ વિડીયો કૉલ દ્વારા આપશે. પવનદીપ પહેલા શોના હોસ્ટ આદિત્ય નારાયણનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

હાલ તે આઈસોલેશનમાં છે. હાલ આદિત્યના બદલે એક્ટર-હોસ્ટ રિત્વિક ધનજાની ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ને હોસ્ટ કરી રહ્યો છે. મનોરંજન ઈન્ડસ્ટ્રી પર કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં ‘અનુપમા’, ‘ડાન્સ દિવાને ૩’ જેવા શોના એક કરતાં વધુ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. બીજી તરફ વાયરસને દૂર રાખવા માટે પ્રોડક્શન હાઉસિસે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા વીકએન્ડ લોકડાઉનનું પાલન કરશે. તેઓ અઠવાડિયામાં પાંચ જ દિવસ શૂટિંગ કરશે અને તે પણ મર્યાદિત કાસ્ટ અને ક્રૂ સાથે, જેથી સ્થિતિને કાબૂમાં લઈ શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.