Western Times News

Gujarati News

ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિએ હળવદ ભાજપ દ્વારા તુલસીના રોપ વિતરણનો કાર્યક્રમ યોજાયો

હળવદ, હળવદ શહેર ભાજપ દ્વારા મહાપુરુષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે સરાનાકા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી,સાથે સાથે ઔષધિય રોપ એવા ગુણકારી તુલસીના રોપનુ નિઃશુલ્ક વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સમગ્ર જીવન રાષ્ટ્ર ને સમર્પિત કર્યું હતુ અને એક દેશ મે દો નિશાન ઔર દો વિધાન નહિ ચલેગા નારા સાથે કલમ ૩૭૦નો વિરોધ કરી શ્રીનગરના લાલ ચોકમા તિરંગો લહેરાવ્યો હતો. તે દરમ્યાન તેમને જેલ વાસની સજા કરવામા આવી હતી અને ત્યા જેલમા જ રહસ્યમય મોત થયુ હતુ અને રાષ્ટ્ર માટે પોતાના જીવની આહુતિ આપી હતી.

એવા રાષ્ટ્રવાદી મહા માનવ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને આજરોજ હળવદ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અને તુલસી ના રોપાનુ નિઃશુલ્ક વિતરણ કરી સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.આ કાર્યક્રમમા ભાજપના હોદેદારો નગરપાલિકાના સભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.