Western Times News

Gujarati News

યાત્રાધામ વડતાલમાં દેવોને ૧૫૧ કીલો પૂષ્પોના અનોખા શૃંગાર 

સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણદેવ  સહિતના દેવોને;   સપ્તરંગી પુષ્પોની ગુંથણી કરીને   પુષ્પના વાઘાથી શણગારવામાં આવ્યા હતા.  મોગરો: તગડ: ગુલાબ: જરબેલા, કમળ,   કરેણ, ઓરકીડ , લીલી વગેરે ૧૫૧ કિલ્લો ફુલ પંખુડીઓની ગુંથણી કાબીલેદાદ હતી. ૨૩ સંતો ; ૨૫ ભક્તો અને ૨૫ મહિલાઓએ મળીને કુલ ૧૫૦૦ કલાકની સતત અને સખત મહેનતના ફળસ્વરુપે આ શૃંગાર તૈયાર  કર્યા હતા.

ગઈકાલે તાજાપુષ્પો મંગાવીને વાઘા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ડે નાઈટ સતત કામ કરીને નાજુક ફુલડાઓની કોમળ પંખુડીઓ છુટી પાડીને અસ્તરના કાપડ પર ચોંટાડતા હતા. ચંદ વ્યક્તિઓ કરી શકે , એવું  આ કામ ન હતું .ઝાઝા હાથ રળિયામણા ઊક્તિ પ્રમાણે સુરત ગુરુકુલથી સંતો અને સ્વયં સેવકોની ટીમ ઊતરી પડી. પૂ ધર્મવલ્લભ સ્વામીના ઘડતર કામ લાગી ગયું . પ્રોફેશનલ કારીગરોથી વધુ સારું ફીનિશંગ પૂર્વે ક્યારેય જોયું ન હતું .

આ શણગારના દર્શન કરવડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ.આચાર્ય ૧૦૦૮  શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કલાસંયોજક સંતો ભક્તોને બિરદાવ્યા હતા.  વડતાલ   મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને
કોઠારી ડૉ.સંતવલ્લભદાસજીની પ્રેરણાથી પૂજારી સ્વયં નિતનવા શણગાર કરે છે.આજે રવિવાર તા.૨૭મીના રોજ
પૂષ્પ શણગારનું સુંદર આયોજન   થયું છેઃ  વડતાલના રાજાધિરાજ શ્રી રણછોડરાયના  શણગાર દર્શન શ્રીનાથજી જેવા જ કરવામાં આવ્યા છેઃ ચૈતન્યાનંદ બ્રહ્મચારી , ભાર્વિક ભટ્ટ વગેરે શણગાર સજાવટમાં યત્નશીલ રહ્યા છેઃ

આજની સમગ્ર વ્યવસ્થા શ્વેતવૈકુંઠ સ્વામી – સુરત ગુરૂકુલ અને શ્યામવલ્લભ સ્વામી વડતાલ દ્વારા કરવામાં આવેલ ; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.