Western Times News

Gujarati News

આગામી સીરિઝમાં રોનિતને લેવા માગતા હતા રાજ કૌશલ

મુંબઈ: ભાગ્ય ખરેખર ક્રૂર હોઈ શકે છે અને બુધવારે સવારે બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદી અને તેના બે નાના બાળકો સાથે જે કંઈ થયું તે પછી પણ આ અલ્પોક્તિ હશે. બુધવારે વહેલી સવારે મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ અટેક આવતા નિધન થયું હતું. રાજ કૌશલના નિધન બાદ મંદિરા બેદીની આકરું રૂદન કરતી તસવીરો સામે આવી હતી. જે ભલભલાને અંદરથી હચમચાવી દે તેવી હતી. આ દરમિયાન કપલનો ખાસ મિત્ર રોનિત રોય સતત મંદિરાની પડખે ઉભો રહ્યો હતો અને તેને ભેટીને શાંત રાખતો અને સાંત્વના આપતો જાેવા મળ્યો હતો.

રોનિત રોયે કહ્યું હતું કે, રાજ કૌશલનું અચાનક નિધન થતાં તેને કેવી લાગું રહ્યું છે તે વ્યક્ત કરવા માટે તેની પાસે શબ્દો નથી અને હજી પણ તે આઘાતમાં છે. જાે કે, આ દરમિયાન તેણે એક વાતનો ખુલાસો પણ કર્યો હતો.

રાજ કૌશલે મે મહિનાના મધ્યમાં રોનિતને ફોન કર્યો હતો. પ્રસંગવશાત્‌, રોનિત અને રાજ બંને તે સમયે ગોવામાં હતો. તેવું લાગે છે કે, રાજે તેમની વેબ સીરિઝનું શૂટિંગ શરૂ કરી દીધું હતું, જે તેને એક લીડિંગ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા સોંપવામાં આવી હતી.

રોનિતે જણાવ્યું હતું કે ‘હું તેની સીરિઝમાં મહત્વનો રોલ ભજવું તેવી તેની ઈચ્છા હતા અને પહેલા ભાગમાં હોવા છતાં કેટલાક સમય માટે તેને મારી જરૂર હતી. કદાચ બીજા ભાગમાં મને મોટો રોલ આપવાનો તેનો પ્લાન હતો.

રોનિત રોયે ઉમેર્યું હતું કે પછી ? પછી રાજે મને એમ પણ કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે હું શોમાં માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવું, જેનો ચહેરો પહેલા ભાગના અંત સુધી છુપાયેલો રહેવાનો હતો.

શું તે સીરિઝ માટે શૂટિંગ શરૂ કર્યું હતું? તેમ પૂછતાં તેણે જવાબ આપ્યો કે ના, મારૂં શૂટિંગ થયું નહોતું. મને લાગે છે કે, મેકર્સ રાજની સાથે શું કરવું અને શું ન કરવું તેના પર ચર્ચા કરી રહ્યા હતા. અને તે દરમિયાન તૌકતે વાવાઝોડું પણ ત્રાટક્યું હતું તો તે પછી રહી જ ગયું’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.