જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજ રાતથી જ બંધ કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Jivrajpark.jpg)
અમદાવાદ: અમદાવાદમાં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવનાર છે.
આજે ૬ જુલાઈ રાતના ૧૦ વાગ્યાથી લઈને ૯ જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. મેટ્રો રેલનું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી પાંચ દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે.
ટ્રાફિક વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર ૬ જુલાઈથી ૯ જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ – બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા – વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ – ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા – ધરણીધર ચાર રસ્તા – સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી પહોંચાડશે.