અસદુદ્દીન ઓવૈસીએ ખુદને ગરીબોના અબ્બા બતાવ્યા
(હિ.મી.એ),લખનૌ,તા.૨૩
એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસદુદ્દી ઓવૈસીને રાકેશ ટિકેતના ચાચા જાનવાળા નિવેદનને લઇ પલટવાર કર્યો છે ઓવૈસીએ ખુદને ગરીબોના અબ્બા બતાવ્યા છે.યુપીમાં આગામી વર્ષ વિધાનસભાની ચુંટણી થનાર છે તમામ પાર્ટી પ્રચારમાં લાગી છે. મુખ્યમંત્રી યોગીના અબ્બા જાનવાળી ટીપ્પણી બાદ અનેક નેતા આ રીતના નિવેદન આપવામાં લાગ્યા છે કોઇ ચાચા જાન કહી રહ્યાં છે તો કોઇ પોતાને ગરીબોના અબ્બા બતાવી રહ્યાં છે.
ઓવૈસીએ મુખ્યમંત્રી યોગીની સાથે સાથે ટિકૈત પર પણ પ્રહારો કર્યા હતાં અને એક જાહેરસભામાં કહ્યું કે લોકો મને ચાચા જાન કહી રહ્યાં છે હું તે લોકોનો પિતા છું જે ઉત્તરપ્રદેશમાં ગરીબ અને નબળા છે ઉત્પીડનનો સામનો કરી રહ્યાં છે હું તે લોકોનો ભાઇ છું જે પીડિત છે જાે નબળા લોકોને સાથ આપવાથી મને અબ્બા બનાવી દેવામાં આવે તો હું તેમનો અબ્બા છું
ઓવૈસીએ કહ્યું કે અખિલેશ યાદવને હિન્દુ મત મળ્યા નહીં તો તેઓ હારી ગયા મારા પર ધ્રુવીકરણનો આરોપ લગાવે છે તે કહે છે કે અતીક અહમદને પાર્ટીમાં કેમ સામેલ કર્યા શું પ્રજ્ઞા ઠાકુર દુધે ધોયેલા છે યોગી આદિત્યનાથ પર પણ કેસ છે.