Western Times News

Gujarati News

નજીવી બાબતે પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી

Youth suicide in bus

Files Photo

પાડોશી યુવક સાથે વાત કરતા જાેઈને ઉશ્કેરાયો પતિ -યુવક સાથે વાત કરવાની ના પાડી છતાં પત્ની ફોન પર વાત કરતા પકડાઈ, પતિએ માર મારીને મોતને ઘાટ ઉતારી

અમદાવાદ,  શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી પત્નીને પાડોશી યુવક સાથે વાત કરતા જાેઈને ઉશ્કેરાયેલા ગયેલા પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનની મનિષા નાકુ નિનામા પતિ નાકુ ઉર્ફે નાકો ધીરજમલ નિનામા સાથે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઓમપ્રકાશની લાઈન ખાતે રહેતી હતી. પતિ નાકુ પત્ની મનિષા પર અવારનવાર શકા રાખતો હતો. આ દરમિયાન થોડા સમય પહેલા તેના વિસ્તારમાં રહેતા બળદેવ ઠાકોર સાથે પત્નીને વાત ન કરવા માટે કહ્યું હતું. જાે કે, ૨૧મી ઓક્ટોબરે રાતે મનિષા બળદેવ સાથે વાત કરી રહી હતી.

આ મામલે બંને વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મૂઢ માર માર્યો હતો. જેમાં પેટમાં બરોડ ફાટી જવાથી લોહીનો ભરાવો થયો હતો. પત્નીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં મેઘાણીનગર પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. જયપ્રકાશ લક્ષ્મણભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, પત્ની પર શંકા રાખીને ધીરજમલ તેના પર અવાર-નવાર ત્રાસ ગુજારતો હતો અને તેમના વચ્ચે અગાઉ પણ આ જ મામલે ઝઘડા થયા હતા. પતિએ પત્નીને પાડોશી યુવક સાથે વાત કરવાની ના પાડી હતી. તેમ છતાંય ગુરુવારે રાતે પતી પત્નીને યુવક સાથે ફોન પર વાત કરતા જાેઈ ગયો હતો. જેથી તેણે પત્નીને મૂઢ મારીને હત્યા કરી નાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.