રાજ્યમાં ૨૯ કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાનો કહેર તબક્કાવાર રીતે ધીરે ધીરે વધી રહ્યો છે. આજે રાજ્યમાં ૨૯ નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૨૪ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૬૫૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૫ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં ૪,૬૨,૩૮૦ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં હાલ કુલ ૨૩૫ નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૩૧ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૬૫૪ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
જાે કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. રાજ્યમાં અમદાવાદમાં ૧૫, વલસાડમાં ૫, વડોદરા કોર્પોરેશનમાં ૪, સુરત ૨, જામનગર, ખેડા, સુરત કોર્પોરેશનમાં ૧-૧ કેસ સામે આવ્યા હતા. આ પ્રકારે કુલ ૨૯ નવા કેસ નોંધાયા હતા.
જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૫ ને પ્રથમ જ્યારે ૧૩૦૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૩૩૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૧૧૭૦૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૨૬૫૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૦૬૩૭૧ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૬૨,૩૮૦ નાગરિકોનું રસીકરણ આજે કરાયું હતું. આ પ્રકારે કુલ ૭,૪૮,૦૨,૫૯૫ રસીકરણ થઇ ચુક્યું છે.SSS