યુપીમાં ૨૫ ડિસે.થી નાઈટ કર્ફ્યુ, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી
લખનૌ, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશતની વચ્ચે યોગી સરકારે મોટો ર્નિણય કર્યો છે. સીએમ યોગીએ ૨૫ ડિસેમ્બરથી પ્રદેશમાં નાઈટ કર્ફ્યુનુ એલાન કર્યુ છે. લગ્નના આયોજનમાં કોવિડ પ્રોટોકોલની સાથે ૨૦૦ લોકોની અનુમતિ હશે. આ બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય ટીમ-૦૯ને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.
દેશના વિભિન્ન રાજ્યોમાં કોવિડના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. એવામાં ૨૫ ડિસેમ્બરથી પ્રદેશમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવશે. દરરોજ રાત્રિ ૧૧ વાગ્યાથી સવારે ૦૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.
બજારોમાં ‘માસ્ક નહીં, તો સામાન નહીં’ ના સંદેશની સાથે વેપારીઓને જાગૃત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રસ્તા, બજારોમાં દરેક માટે માસ્ક અનિવાર્ય છે. દેશના કોઈ પણ રાજ્ય અથવા વિદેશથી યુપીની સીમામાં આવનારા દરેક વ્યક્તિની ટ્રેસિંગ-ટેસ્ટિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ બસ, રેલવે અને એરપોર્ટ પર વધારાની તકેદારી રાખવામાં આવશે.
પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૯૧ હજાર ૪૨૮ સેમ્પલની તપાસ થઈ, જેમાં ૪૯ નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. પ્રદેશમાં કુલ એક્ટિવ કોવિડ કેસની સંખ્યા ૨૬૬ છે જ્યારે ૧૬ લાખ ૮૭ હજાર ૬૫૭ દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે. શુક્રવારે ૩૭ જિલ્લામાં એક પણ કોવિડ દર્દી મળ્યા નહીં.SSS