છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૮૭૦ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોના નવા ૮૭૦ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૨૨૧ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૦,૨૦૪ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૪૫ ટકાએ પહોંચી ચુક્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧,૮૨,૫૪૯ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં હાલ કુલ ૮૦૧૪ કુલ એક્ટિવ કેસ છે જે પૈકી ૫૩ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૭૯૬૧ નાગરિકો સ્ટેબલ છે. જ્યારે ૧૨૦૦૨૦૪ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૮૬૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત થઇ ચુક્યાં છે. ૧૩ નાગરિકોનાં આજે મોત થયા છે.
રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૦ ને પ્રથમ અને ૪૨ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૩૦૭ ને રસીનો પ્રથમ અને ૧૨૬૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૨૪૮૩ ને રસીનો પ્રથમ અને ૫૭૨૧૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૮૪૫૨ ને રસીનો પ્રથમ અને ૬૨૭૬૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૨૬૬૧૧ ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૮૨,૫૪૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૧૭,૪૫,૬૩૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS