Western Times News

Gujarati News

પ્રતિષ્ઠિત સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. રજત કુમાર કારનું નિધન

ભુવનેશ્વર, -પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. રજત કુમાર કાર ઓડિશાના જાણીતા સાંસ્કૃતિક નિષ્ણાતનું આજે સાંજે ભુવનેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ડૉ. કાર છેલ્લા ૬૨ વર્ષથી ટીવી અને રેડિયો બંનેમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા પર સૌથી લાંબી અને સૌથી જૂની સક્રિય ટીકાકાર હોવાનો દુર્લભ રેકોર્ડ ધરાવે છે.

જાણીતા ઉડિયા સાહિત્યકાર રજત કુમાર કારનું રવિવારે ભુવનેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના સંબંધીઓએ જણાવ્યું કે તેઓ ૮૮ વર્ષના હતા અને તેમને હૃદય સંબંધિત બિમારીઓ હતી. રજત કુમાર કારને સાહિત્ય અને શિક્ષણ માટે ૨૦૨૧ માં પદ્મશ્રીથી સન્નમાનિત કરવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ બપોર સુધી ઠીક હતા અને જમ્યા બાદ તેઓ આરામ કરવા ગયા હતા. સાંજે ૫ વાગ્યે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જ્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

નોંધનીય છે કે છ દાયકાઓથી વાર્ષિક રથયાત્રા દરમિયાન ટીવી અને રેડિયો પર થતી ટિપ્પણી માટે ડો કાર જાણીતા હતા. તેઓ જગન્નાથ સંસ્કૃતિના કુશળ વક્તા હતા ઉપરાંત ઓડિશાની મૃત્યુ પામતી પાલા કલાના પુનરુત્થાનમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ ઉપેન્દ્ર ભાંજના સાહિત્યના પ્રખર લેખક હતા અને તેમણે સાત નોન-ફિક્શન પણ લખ્યા છે. ઉલ્લેખનીય છે કે રજત કુમાર કારે ભગવાન જગન્નાથ પર કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.