લગ્નમાં વીજળી જતાં નવવધૂઓ બદલાઈ ગઈ, ફેરામાં ભૂલ સુધારી લેવાઈ

ઉજ્જૈન, આકરી ગરમીમાં વીજળી ગૂલ થવાથી લોકોને થતી પરેશાની જાણીતી છે પણ મધ્યપ્રદેશમાં બનેલી એક અજીબો ગરીબ ઘટનામાં વીજળી ગૂલ થવાથી લગ્નની વિધિમાં મોટી ગરબડ થઈ ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે ઉજ્જૈન જિલ્લામાં રહેતા રમેશલાલની ત્રણ પુત્રીઓ અને એક પુત્રના લગ્ન હતા. બે પુત્રીઓ નિકિતા અને કરિશ્માના અનુક્રમે ભોલા અને ગણેશ નામના યુવક સાથે લગ્ન લેવાયા હતા.
દરમિયાન લગ્નની વિધિઓ ચાલી રહી હતી ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યે લાઈટો ગઈ હતી. એક કલાક બાદ લાઈટો આવી ત્યારે ખબર પડી હતી કે, નવવધૂ બદલાઈ ગઈ છે અને નિકિતાએ ગણેશ તેમજ ભોલાએ કરિશ્માનો હાથ પકડી રાખ્યો હતો.
જાેકે એ પછી ફેરા ફરવાનો વખત આવ્યો ત્યારે ભૂલ સુધારી લેવામાં આવી હતી અને નવવધૂએ પોતાના સાચા પતિ સાથે ફેરા ફર્યા હતા.
ગામ લોકોનુ કહેવુ છે કે, અમારા માટે વીજળી ગૂલ થવી નવી વાત નથી.કલાકો સુધી વીજળી ગાયબ રહેતી હોય છે પણ આ વખતે અંધારામાં દુલ્હા-દુલ્હન જ બદલાઈ ગયા હતા અને આવુ પહેલી વખત થયુ હતુ.SSS