Western Times News

Gujarati News

ઝઘડિયાના અતિ પ્રાચીન જૈન દેરાસરમાં દોઢ માસના આત્મા પ્રભાવક ઉપધાનતપનો પ્રારંભ થયો

શત્રુંજય તિર્થધામથી પ્રચલિત ઝઘડિયા તીર્થમાં આ ઉપધાનતપ દરમિયાન મોટી સંખ્યામાં જૈન પરિવારો પધારશે : તપસ્વીઓની શોભાયાત્રા તેમજ મોક્ષમાળા રોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: ઝઘડિયાના પ્રાચીન આદિનાથ જૈન દહેરાસર ખાતે આત્મા પ્રભાવક ઉપધાનતપનો પ્રારંભ થયો છે.આ દરમિયાન તપસ્વીઓની શોભાયાત્રા,મોક્ષમાળા રોપાં જેવા કાર્યક્રમોના આયોજન મોર્યતીર્થ નિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે.આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઝઘડિયા જૈન તીર્થ ખાતે મોટી સંખ્યામાં જૈન પરિવારો લાભ લેશે.

ઝઘડિયા ખાતે આવેલ આદિનાથ જૈન તીર્થ ખાતે આત્મા પ્રભાવક ઉપધાનતપ કાર્યક્રમનો પ્રારંભ ગત સપ્તાહથી થયો છે.શત્રુંજય તિર્થધામથી પ્રચલિત ઝઘડિયા તીર્થમાં આખા વર્ષ દરમ્યાન રાજ્યભર માંથી જૈન પરિવારો અહીં દર્શનાર્થે આવી ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરે છે.હાલમાં ઝઘડિયા તીર્થ ખાતે આત્મા પ્રભાવક ઉપધાનતપનો પ્રારંભ થયો છે.આ બાબતે ભીખાભાઈ મોરણવાળા જણાવે છે કે ઝઘડિયા તીર્થ દક્ષિણ ગુજરાતનું ઘણું પ્રાચીન તીર્થ છે.જિનાલયમાં મૂળનાયક આદેશ્વરદાદાની આશરે ૪૦૦ વર્ષથી વધુ પ્રાચીન ચાતકારીક અલૌકિક પ્રતિમા છે.


આ જિનાલયની જમણી બાજુની ડેરીમાં પુંડરિક સ્વામી તથા ડાબી બાજુ રાયણ પગલાં બિરાજમાન છે જેથી આ જિનાલયને શંત્રુંજય તીર્થધામ થી પણ ઓળખે છે.આ જિનાલયમાં યાત્રિકોને રહેવા જમવાની ખુબ સારી વ્યવસ્થા છે.

તા. ૨.૧૨.૧૯ થી તા. ૧૮.૧.૨૦ સુધી મોર્યા તીર્થ નિવાસી માતૃશ્રી તારાબેન રસિકલાલ પારેખ પરિવાર દ્વારા પ્રવચન પ્રભાવક ચકાચક ગુરુદેવ તપસ્વીરત્ન શ્રીમદ્ વિજયપ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા આદિથાણા નિશ્રામાં આયોજિત કરવામાં આવેલ છે. નમસ્કાર મહામંત્ર આરાધના રાગદ્વેષના પ્રદુષણ વગરનું પરિશુદ્ધ પર્યાવરણ માનવીના સમગ્ર જીવન ઉપર ઘેરો પ્રભાવ પાથરતું એક આત્મા પ્રભાવક અનુસ્થાન ઉપધાનતપ ૪૭ દિવસ સુધી આરાધકો સાધુ સાધ્વી જેવું જીવન જીવી ઉપધાનતપ કરશે.

તપસ્વીઓની શોભાયાત્રા તા. ૧૮.૧.૨૦ ના રોજ નીકળશે તેમજ મોક્ષમાળા રોપાં તા. ૧૯.૧.૨૦ના રોજ ઝઘડિયા એ.પી.એમ.સી માં રાખવામાં આવી છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનો લાભ લેવા પધારશે.ઝઘડિયાય જૈન તીર્થ ખાતે પહેલી વખત આવો કાર્યક્રમ યોજાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.