Western Times News

Gujarati News

ગુરુપૂર્ણિમાએ ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભક્તોનું ઘોડાપૂર

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પહેલા ફક્ત કારતક કી પૂનમ, ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમે ભરાતા મેળામાં વધુ માઈ ભક્તો આવતા હતા. હવે વર્ષની દરેક પુનમે માઈભક્તોની સંખ્યા વધતી જાય છે.

આ ઉપરાંત ખેડબ્રહ્માના ગલોડીયા ગામના છેલ્લા ૩૫ વર્ષથી કોલેજના પૂર્વ આચાર્ય નટુભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, સુરેશભાઈ મિસ્ત્રી, વિરલભાઈ, પરેશભાઈ, ફાલ્ગુનીબેન અને હીનાબેન વગેરે ચાલતા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે આવે છે પરંતુ છેલ્લા એક વર્ષથી ગલોડીયા ગામ થી એક શ્વાન તેમની સાથે કાયમ આવે છે જે લોકોનું આકર્ષણ બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.