Western Times News

Gujarati News

૨૮ હજાર સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને કુલ  રૂ. ૩૫૦ કરોડના લાભ-સહાયનું વિતરણ કરાયું

સ્વ-સહાય જૂથોની બહેનોની સફળતાની ગાથાનું કેન્દ્ર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સખી સંવાદ’ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના સખીમંડળો – સ્વ-સહાય જૂથની બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદનો સેતુ સાધ્યો

દેશની માતાઓ-બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનશ્રીના લખપતિ દીદી સંકલ્પમાં ગુજરાતે ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Ø  સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા તૈયાર થતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડી માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સરકાર  સહયોગ આપવા પ્રયત્નશીલ રહેશે : મુખ્યમંત્રી

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનોચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું. Gandhinagar Sakhi Samvad Program

આ સંદર્ભમાં તેમણે કહ્યું કેલોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખપ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે જ. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કરતાં આ આહવાન કર્યું હતું.

ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં ૨૮ હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને રૂ. ૩૫૦ કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીશ્રીએ વિતરણ કર્યું હતું.

તેમણે ડાંગ આહવાથી લઈને બનાસકાંઠા-વડુ અને પંચમહાલ થી પોરબંદર સુધીના જિલ્લાઓની ૧૭ જેટલી ગ્રામ્ય સખીમંડળ બહેનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમની સફળતા ગાથા જાણી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સખીમંડળ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સાથે પ્રોડક્ટ્સ માર્કેટિંગમાં આવતી નાની-મોટી સમસ્યા હલ કરવા માટે પણ સરકાર પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ અર્થતંત્રમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા સાથે વુમન એમ્પાવરમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ ‘ગ્યાન’ એટલે કેગરીબયુવાઅન્નદાતા અને નારીશક્તિ એમ ચાર સ્તંભના વિકાસ પર દેશની વિકાસગતિ તેજ બનાવવા નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કેવડાપ્રધાનશ્રીએ આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે રૂ. ૩ લાખ કરોડની વિવિધ યોજનાઓ આપી છે. બહેનોને આત્મનિર્ભરતાના માર્ગે વાળવા ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલોટ તાલીમ આપીને ‘ડ્રોન દીદી’ તરીકે સશક્ત કરવાનું કામ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં થયું છે તેની ભૂમિકા શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેદેશભરમાં માતા-બહેનોને આર્થિક રીતે પગભર કરવા ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે અને ગુજરાતે આવી ૭.૫૦ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે.

એટલું જ નહીંરાજ્ય સરકારે નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ (GEM) પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં પણ મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનની ખરીદીને પ્રોત્સાહિત કરવાની જોગવાઈઓ કરી છે.

તેમણે વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણમાં ગ્રામીણ નારીશક્તિ સ્વ-સહાય જૂથોનું યોગદાન મહત્વનું બની રહેશે તેઓ વિશ્વાસ દર્શાવ્યો હતો.

ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કેગ્રામીણ વિસ્તારની ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરીનેતેમને કૌશલ્યયુક્ત તાલીમ આપી આજીવિકા પૂરી પાડવીએ અમારી  સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદમાં સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી માંગણી અને લાગણીને રાજ્ય સરકાર હકારાત્મક પ્રતિભાવ આપી તેમને મદદરૂપ થવા હંમેશા તત્પર છેતેવી ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

તેમણે કહ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની કેડી કંડારી હતી. આજે એ જ કેડીએ આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સ્વ-સહાય જૂથોને માળખાકીય સુવિધાબેંક ધિરાણ અને સહાય ઉપલબ્ધ કરાવીગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડી રહી છે.

 

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કેગુજરાતમાં આશરે ૩૧  લાખ મહિલાઓને આવરી લેતા ૩ લાખ જેટલા સ્વ-સહાય જૂથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ૨૮ જિલ્લામાં ગ્રામિણ તાલીમ સ્વરોજગાર સંસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્રોમાં અત્યાર સુધી આશરે ૩.૧૩ લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૨૮,૦૦૦થી વધુ સ્વ-સહાય જૂથોની આશરે ૨.૮૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૩૫૦ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વ-સહાય જૂથની ૫૦૦ મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા માટે પીડીલાઈટ કંપની સાથે રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ MoU સાઈન કર્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સ્વ-સહાય જૂથની મહિલાઓ સરસ‘ મેળામાં ભાગ લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેના નવીન પોર્ટલ તેમજ સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ પંચાયતતાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે એવોર્ડમાં ભાગ લેવા માટેના નવીન નિર્મળ ગુજરાત ૨.૦ એવોર્ડ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.

આ કાર્યક્રમ પૂર્વે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ૩૩ જિલ્લાના ૩૩ સ્ટોલની મુલાકાત લઈ તેની તલસ્પર્શી માહિતી મેળવી ઉત્પાદન વિશે બહેનો સાથે સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમના અંતે ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રી મનીષા ચંદ્રા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલધારાસભ્ય શ્રી રીટાબેન પટેલધારાસભ્ય શ્રી જયંતીભાઈ પટેલમુખ્ય સચિવ શ્રી રાજ કુમારગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓની સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.