Western Times News

Gujarati News

બાંગ્લાદેશના ચીફ જસ્ટિસ અને ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટનના ઘરે તોડફોડ અને આગચંપી

ઢાંકા, બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન ‘બંગબંધુ ભવન’માં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી.

આ એક ઐતિહાસિક ઈમારત છે જે ઢાકાના ધાનમોન્ડીમાં સ્થિત છે, જેનો ઉપયોગ શેખ મુજીબુર રહેમાન તેમના ખાનગી નિવાસસ્થાન તરીકે કરતા હતા. બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને શેખ હસીનાના રાજીનામા બાદ દેશના વિવિધ વિસ્તારોમાં હિંસાનું વાતાવરણ છે.

કેટલીક જગ્યાએ તોડફોડ અને કેટલીક જગ્યાએ આગચંપીના અહેવાલો છે. બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મસરફે મોર્તઝાના ઘરને પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. દેખાવકારોએ નારેલમાં મશરફી મુર્તઝાના મુખ્ય ઘરને આગ ચાંપી દીધી હતી.

વિરોધીઓએ બાંગ્લાદેશમાં કથિત ‘નરસંહાર અને વિદ્યાર્થીઓની સામૂહિક ધરપકડ’ પર તેમના મૌન માટે શાસક અવામી લીગ પાર્ટીના સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યાે છે.

આ ઘટના પછી જે દ્રશ્યો સામે આવ્યાં હતાં તેમાં દેખાવકારો દ્વારા તેમના ઘરની તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી.મોર્તઝાએ અલગ-અલગ ફોર્મેટમાં ૧૧૭ મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી હતી, જે તેના દેશ માટે સૌથી વધુ છે. તેમની લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તેણે ૩૬ ટેસ્ટ, ૨૨૦ ઓડીઆઈ અને ૫૪ટી૨૦ મેચોમાં પ્રભાવશાળી ૩૯૦ દેખાવ કર્યા અને ૨,૯૫૫ રન બનાવ્યા.

નિવૃત્તિ પછી, તેમણે ૨૦૧૮ માં તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગમાં જોડાયા. તેઓ નરેલ-૨ બેઠક પરથી સાંસદ તરીકે જીત્યા હતા.ઢાકામાં પ્રદર્શનકારીઓ દ્વારા બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરની લૂંટ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશનું પોલીસ તંત્ર સાવ પડી ભાંગ્યું છે, રસ્તાઓ પર પોલીસ નથી. બાંગ્લાદેશ સરહદ રક્ષક સૈનિકોને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેઓ ફરજ પર નથી. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો જ તૈનાત છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે.

બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન ‘બંગબંધુ ભવન’માં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ એક ઐતિહાસિક ઈમારત છે જે ઢાકાના ધાનમોન્ડીમાં સ્થિત છે, જેનો ઉપયોગ શેખ મુજીબુર રહેમાન તેમના ખાનગી નિવાસસ્થાન તરીકે કરતા હતા.

હકીકતમાં, ઓગસ્ટ ૧૯૭૫માં શેખ મુજીબની તેમના પરિવારના સભ્યો સાથે આ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની પુત્રી શેખ હસીના આ ઘટના સમયે વિદેશમાં હોવાના કારણે બચી ગઈ હતી. આ ઇમારત રાષ્ટ્રીય ધરોહર સ્થળ છે અને તેને બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.