Western Times News

Gujarati News

રોહિત સમાજના ૪૦ કરતા વધુ પરગણાઓના પ્રમુખો અને આગેવાનો ગાંધીનગર સન્માન સમારોહમાં હાજર રહ્યા

ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

(પ્રતિનિધિ) મોડાસા, શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી નટુભાઈ પરમાર નો સન્માન સમારોહ ગાંધીનગર ખાતે જોધલપીરના મહંતશ્રી લાલદાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.

શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમારના સન્માન સમારોહનું આયોજન શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ઉપપ્રમુખશ્રી તથા ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખશ્રી શ્રી ડાહ્યાભાઈ પરમાર તેમજ તેમની ટીમ અને ગુજરાત રોહિત સમાજના આગેવાનો દ્વારા આ કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું.

આ પ્રસંગમાં જોધલપીરના ગાદીપતિ શ્રી લાલદાસ બાપુ એ શ્રી નટુભાઈ પરમારને આશીર્વચન આપી સમગ્ર સમાજ એક થાય એ દિશામાં કામ કરવાનું માર્ગદર્શન આપ્યું. તેમજ શ્રી નટુભાઈ પરમાર એ પીઠના કેટલાક આગેવાનો દ્વારા સોશિયલ મિડિયા ના માધ્યમ થી ખોટો પ્રચાર કરતા લોકો ને ખુલ્લા પાડી સમાજના એવા માણસોથી દૂર રહેવાની વિનંતી કરી.

જેમાં ગુજરાત ભરમાંથી રોહિત સમાજના ૪૦ કરતા વધુ પરગણાઓના પ્રમુખો અને આગેવાનો, સાધુ સંતો, યુવાનો,મહિલા મંડળો તેમજ સમાજની નામી હસ્થીઓ ની ખૂબ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી.

આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન શ્રી ડી.સી.પરમાર, જોટાણાના પૂર્વ સરપંચ અને વકીલશ્રી ભાવેશભાઈ ચાવડા,ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સમાજના આગેવાન શ્રી કનુભાઈ પરમાર, સમાજના ઉદ્યોગપતિ શ્રી ગૌતમભાઈ પરમાર(સરગાસણ), ડૉ. અશ્વિનભાઈ રાઠોડ, સાબરકાંઠા જિલ્લા પૂર્વ હોમગાર્ડ કમાંડરશ્રી કિરણભાઈ પરમાર,

પ્રો.શ્રી જયંતિભાઈ પરમાર,શ્રી ગુરુ રવીદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ મંત્રીશ્રી જય રાઠોડ, હરેશભાઈ પરમાર, હવેલી પરગણાના આગેવાન શ્રી ભગાભાઈ પરમાર અને રમણભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમની અંતે શ્રી ભાવેશભાઈ ચાવડાએ આભાર વિધિ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.