Western Times News

Gujarati News

અમેઠીમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારની હત્યા કરી

મુંબઈ, અમેઠીમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારને ગોળી મારી ૦૪ લોકોની હત્યા કરી નાખી છે. બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી જેમાં શિક્ષક, પત્ની અને બાળકનું મૃત્યુ થયું છે. અમેઠીના શિવરતનગંજ વિસ્તારની આ ઘટના છે.

ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત સમગ્ર પરિવારને ગોળી મારી દીધી હતી. બદમાશો દ્વારા ગોળી વાગતાં શિક્ષક, તેની પત્ની અને તેના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત અનેક પોલીસ સ્ટેશનના દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.એસપી અનુપ સિંહ પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. કહેવાય છે કે શિક્ષક અહીં પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

તે અહીં સિંઘપુર બ્લોકની પન્હૌના પ્રાથમિક શાળામાં તૈનાત હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઘટના શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાની નગર ચાર રસ્તાની છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વતઃ સંજ્ઞાન લીધું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાએ અમેઠીની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. તેમજ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હાલ પોલીસે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.