Western Times News

Gujarati News

નાગરિકોને કોઈ ફરિયાદનો અવકાશ જ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ: મુખ્યમંત્રી 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

આર.ટી.આઈ એક્ટથી દેશના સામાન્ય માણસને માહિતી મેળવવી સરળ બનવાની સાથે સરકારમાં પારદર્શકતા વધી છે: મુખ્ય માહિતી કમિશનર શ્રી હીરાલાલ સામરીયા

 મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે આર.ટી.આઇ. એક્ટની ત્રણ લઘુપુસ્તિકાઓનું વિમોચન કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેરાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોચાડવાની વ્યવસ્થા ઊભી કરીએજેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં NFSU કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજિત આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણીના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતાં.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાજનોને ઘરે બેઠા યોજનાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વ્યવસ્થાના ભાગરૂપે નાગરિકોને સેચ્યૂરેશન એટલે કે ૧૦૦ ટકા લાભ મળે એવો સરકારનો પ્રયાસ છે.

પોતાને મળતા લાભો કઈ રીતે મળશે એ અંગેના નિયમો-કાર્નીયપદ્ધતિની નાગરિકોને સ્પષ્ટપણે જાણ હોવી જોઈએ. નાગરિકોને ઘર આંગણે પારદર્શી રીતે સેવા મળશે તો આર.ટી.આઈ. અંતર્ગત અરજીઓ પણ ઓછી થઈ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કેસરકાર વધુને વધુ કઈ રીતે લોકોપયોગી થઈ શકે તે માટે હરહંમેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રયત્ન કર્યો છે. એટલે જ તેમના પર દિનપ્રતિદિન નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કેસરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલા ઓપન થશે એટલા ગ્રિવન્સીસ ઘટશે. લોકશાહીમાં હક અને ફરજો બંને સામેલ છે. હક્કની સાથે આપણી ફરજો નિભાવવી એ પણ એટલુ જ અગત્યનું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ કેવર્ષ ૧૯૯૫માં ગુજરાતનું બજેટ ૨૬થી ૩૦ હજાર કરોડ હતું જે આજે ૩.૩૨ લાખ કરોડ રૂપિયા થયું છે. સરકારી યોજનાનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. આ સ્થિતિમાં નાગરિકોનો સહયોગ મળે તે પણ જરૂરી છે. આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે કોઈ રાગ-દ્વેષના સ્થાને તંદુરસ્ત હરિફાઈ થાય તે જરૂરી છે. વિકસિત ભારત માટે એક થઈને કાર્ય કરવું પડશે.

ગુજરાતે વાવાઝોડા સામે એકસંપ થઈ કરેલા સામુહિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કેવાવાઝોડા સમયે પ્રજાજનોજનપ્રતિનિધિઓ અને સરકારી તંત્રએ કરેલા કાર્યને દેશ-દુનિયાએ પણ વખાણ્યુ છે અને સામુહિક પ્રયાસોથી આપત્તિનો સામનો કરવામાં સફળતા મળી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત એકસંપથી આગળ વધશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારના મુખ્ય માહિતી કમિશનર શ્રી હીરાલાલ સામરીયાએ ગુજરાત સરકારની આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આર.ટી.આઇ. એક્ટની અરજદારોને સુગમતા આપવાની ગુજરાત માહિતી આયોગની કામગીરીને બીરદાવી હતી. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંતર્ગત સમગ્ર દેશમા સામાન્ય નાગરિકને પણ માહિતી મેળવવાનો અધિકાર મળે જેથી તંત્ર અને લોકો વચ્ચે પારદર્શિતાથી સરકાર પર વિશ્વાસ વધે છે. પવિત્ર આર.ટી.આઈ એક્ટથી દેશના સામાન્ય માણસને માહિતી મેળવવી સરળ બની છે અને સરકારમાં પારદર્શકતા વધી છે. સરકારના તમામ વિભાગોએ માહિતી પોતાની વેબસાઈટ પર મુકવી જોઈએ તેમ શ્રી સામરિયાએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

વધુમાં શ્રી સામરિયાએ જણાવ્યું હતું કેદેશમાં ઘણા લોકો આર.ટી.આઈ એક્ટથી અજાણ છે. તેમના માટે આર.ટી.આઈને લગતી માહિતી સામાન્ય નાગરિકને મળી રહે તે માટે વિવિધ સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરી તેમને માહિતગાર કરવા જોઈએ.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોનીએ જણાવ્યું હતું કેઆર.ટી.આઈના કાયદા થકી નાગરિકોને સરકાર જોડેથી માહિતી મળવી સરળ બની છે. આર.ટી.આઈના કાયદાની અમલવારી થકી સરકારે ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરી છે. રાજ્યમાં ૪૦ હજાર જેટલા માહિતી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. માહિતી આયોગે આધુનિક ટેકનોલોજીની મદદથી ૨૫૦૦થી વધારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાગરિકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. માહિતી આયોગ દ્વારા તમામ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો અભિગમ રાખવામાં આવે છે. માહિતી આયોગ દ્વારા અપીલફરિયાદ અને તેની સ્થિતિની સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે ૧૧ હજારથી વધુ જાહેર સત્તામંડળો ફરજ બજાવી રહ્યા છે.

આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત માહિતી આયોગસામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે, “Launching Ceremony of Right to Information week celebration in Gujarat” વિષય ઉપર યોજાયેલા એક દિવસીય સેમીનારમાં આર.ટી.આઇ. એક્ટની ત્રણ લઘુપુસ્તિકાઓનું મુખ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારરાજ્ય માહિતી કમિશનરો શ્રી સુબ્રમણિયમ ઐયરશ્રી મનોજભાઈ પટેલશ્રી નિખિલભાઈ ભટ્ટ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓનાગરિક સંગઠનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વર્ચ્યૂઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.