Western Times News

Gujarati News

પાકિસ્તાનના કરાચીમાં જિન્નાહ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ

કરાચી, પાકિસ્તાનના કરાચીમાં જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક મોડી રાત્રે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ વિદેશી નાગરિકોના મોત થયા છે. જ્યારે ૧૭થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલાઓમાં બે ચીની નાગરિકો પણ સામેલ છે.

ચીનના દૂતાવાસના નિવેદન અનુસાર પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી હતી અને બંને દેશોના નિર્દાેષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો અને તેમના પરિવારો પ્રત્યે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.

બીજી બાજુ ચીન તરફથી આ મામલે તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માગ સાથે ગુનેગારોને સખત સજા તથા પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્‌સની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.

અહેવાલ અનુસાર આ બ્લાસ્ટમાં ૧૭ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લગભગ તો આખા શહેરના રહેવાસીઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. વિસ્ફોટ સ્થળની નજીકમાં રસ્તા પર ભીષણ આગના દૃશ્યો દેખાયા હતા. પાકિસ્તાની ભાગલાવાદી આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.