યુપીમાં પત્નીએ પ્રેમી દિયરની સાથે મળીને પતિની હત્યા કરાવી

ઇન્દોરની સોનમનો મામલો શાંત પડ્યો નથી એવામાં લલિતાની ક્રૂરતા
આ ઘટનાને દિવસે પતિ-પત્ની વચ્ચે તકરાર પણ થઈ હતી, પોલીસે લલિતાની ધરપકડ કરી છે
અલીગઢ,ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યા કરનાર તેની જ પત્ની સોનમની ચર્ચા હજુ શાંત પડી નથી. એવામાં યુપીના અલીગઢમાં વધુ એક ‘સોનમ’ની ક્‰રતા સામે આવી છે. અહીં ગંગીરી ક્ષેત્રના નગલા હિમાચલમાં પત્નીએ પોતાના પ્રેમી દિયરની સાથે મળીને પતિની હત્યા કરાવી છે. બે દિવસ પહેલા પતિનો મૃતદેહ ગામના મુખ્ય રસ્તા પડેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને કાનપટી પર ગોળી મારવામાં આવી હતી. પત્ની પોતાના દિયરના પ્રેમમાં પડી ગઈ હતી, જેનો વિરોધ પતિ ઋષિપાલે કર્યાે હતો.
ત્યાર પછી પતિ ઋષિનો કાંટો કાઢવાનું પત્નીએ મન બનાવી લીધું હતું. પ્રાથમિક માહિતી મુજબ નગલા હિમચાલના રહેવાસી ૩૦ વર્ષીય ઋષિપાલ ખાનગી ગાડી ચલાવતો હતો. બુધવારે સવારે ઘરથી ૫૦ મીટર દૂર તેનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કહેવામાં આવ્યું કે તેની પત્ની લલિતાની તબિયત બગડી ગઈ હતી. એટલે ઋષિ પત્ની લલિતાને તેની ફોઇ ગુડ્ડી દેવીના ઘરે છોડવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ઋષિની હત્યા કરાઈ હતી.
પત્નીએ ત્રણ લોકોની સામે શંકા વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવી હતી. આકરી પૂછપરછમાં પત્ની લલિતાએ પોતાનો ગુનો કબૂલી
લીધો હતો. પોલીસ અધિકારીના કહેવા મુજબ લલિતા પોતાના ફોઈના પુત્ર નીરેશના પ્રેમમાં હતી અને નિરેશ ઋષિપાલનો પિતરાઈ ભાઈ છે. બંનેના પ્રેમ બંધની જાણ થતાં ઋષિએ તેનો વિરોધ કર્યાે હતો. આ ઘટનાને દિવસે પતિ-પત્ની વચ્ચે તકરાર પણ થઈ હતી. પોલીસે લલિતાની ધરપકડ કરી છે.ss1