અમદાવાદ નજીકના નાના ગામમાંથી આવતા NSEના એમડી અને CEO સુધીની આશિષ ચૌહાણની સફર

AMA દ્રારા શ્રી આશિષ ચૌહાણ, નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓના જીવનમાંથી પ્રેરિત પુસ્તક “સ્થિતપ્રજ્ઞ: સમત્વની દિશામાં પ્રયાણ”નું વિમોચન કરાયું
Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા, શ્રી આશિષ ચૌહાણ, ભારતના કેપિટલ માર્કેટના દૂરંદેશી આર્કિટેક્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી તથા સીઈઓના જીવનમાંથી પ્રેરિત અને ડો. મયૂર શાહ દ્રારા લિખિત પુસ્તક “સ્થિતપ્રજ્ઞ: સમત્વની દિશામાં પ્રયાણ”નું વિમોચન કરાયું હતું.
આ ઉપક્રમે શ્રી આશિષ ચૌહાણ અને આંતરરાષ્ટ્રીય કર નિષ્ણાત અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મૂકેશ પટેલ વચ્ચે “ઇન્ડીયન ફાઇનાન્સિયલ માર્કેટ્સ: પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર” વિષય પર ઇન્વેસ્ટર્સને ગુરુ મંત્ર આપતા એક ઇન્ટરેક્ટિવ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આશિષ ચૌહાણે પુસ્તક વિમોચન પ્રસંગે સ્ટોક એક્સચેન્જના પોતાના અનુભવો અને ભવિષ્યમાં સ્ટોક એક્સચેન્જ ક્ષેત્રે આવનાર પરિવર્તનો વિશે
ઇન્ડિયન ફાઇનાન્સિયલ માર્કેટ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર પર વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે આજે દર મહિને ૧૦૫ મિલિયન ડોલરના વ્યવહારો થઈ રહ્યા છે. ટેકનોલોજીના વ્યાપ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં આવનાર દિવસોમાં માઈક્રો સેકન્ડથી પણ આગળ નેનો સેકન્ડમાં ટ્રેડિંગ શક્ય બનશે જે સુપર કમ્પ્યુટરના લીધે શક્ય બનશે.
આ પુસ્તકમાં અમદાવાદ નજીક નાના ગામમાંથી આવતા આશિષભાઈએ એનએસઇના એમડી અને સીઇઓ સુધીની પ્રેરણાત્મક જીવનયાત્રાની ઝાંખીની સાથે સાદગી, સહભાગીતા અને કાર્યકુશળતાના પાયા પર સર્વાંગી પ્રગતિ આલેખવામાં આવેલ છે. આ પુસ્તકમાં શિસ્ત, સકારાત્મક અભિગમ, નિર્ભયતા, પરિશ્રમ, મનની સ્થિતપ્રજ્ઞતા અને નિ:સ્વાર્થ સેવાનો અનોખો અનુભવ દરેક વાચકને થશે.