ઈન્ડિગોની સેવા બંધ થતાં અન્ય એરલાઈન્સોએ પ્રવાસીઓને લૂંટ્યા
નવી દિલ્હી, ઇન્ડિગોની ફ્લાઇટ ઓપરેશન સિસ્ટમમાં ખામીના કારણે દેશભરના તમામ એરપોર્ટ પર હોબાળો મચી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૨,૫૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ પર ફસાયેલા છે. આવી સ્થિતિમાં, મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને મદદ કરવાને બદલે, અન્ય એરલાઇન્સ આ સ્થિતિનો લાભ લેઈ રહી છે.
હાલની પરિસ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે, બધી એરલાઇન્સ બધી નૈતિકતા છોડીને મુસાફરોને લૂંટવામાં વ્યસ્ત છે. સૌથી દુઃખદ વાત એ છે કે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, જે મુસાફરોના હિતોનું રક્ષણ કરે છે, તે સંપૂર્ણપણે મૌન છે.
તમે વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ એ હકીકત પરથી મેળવી શકો છો કે, થોડા દિવસો પહેલા સુધી, દિલ્હીથી મુંબઈની ટિકિટ રૂ.૭,૦૦૦ થી ઓછી કિંમતે મળતી હતી. આજે, તે જ ટિકિટ લગભગ રૂ.૭૦,૦૦૦ માં મળી રહી છે. દિલ્હી-પટના ટિકિટની કિંમત સામાન્ય રીતે રૂ.૫,૦૦૦ હોય છે, તે હવે રૂ.૪૭,૦૦૦ છે. આજકાલ, પરિસ્થિતિ એવી છે કે, જો તમે પટનાને બદલે લંડન જાવ છો, તો તમને તે સસ્તું પડશે. જ્યારે આજે પટનાની ટિકિટ રૂ.૪૭,૦૦૦ ની કિંમતે છે, ત્યારે લંડનની ટિકિટ ફક્ત રૂ.૨૫,૦૦૦ માં મળી રહી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ ગોપાલ નાયડુએ ડ્ઢય્ઝ્રછને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, કોઈપણ કિંમતે ફ્લાઇટ ભાડામાં વધારો ન થાય. જોકે, ડ્ઢય્ઝ્રછ આ સૂચનાઓનો અમલ કરવામાં સંપૂર્ણપણે બિનઅસરકારક જણાય છે. ઇન્ડિગો હોય કે અન્ય કોઈ એરલાઇન, તેઓ મજા આવે તેમ ભાડા વધારી રહ્યા છે.
હાલ હવાઇ ભાડામાં દસ ગણાથી વધુ વધારો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે, ડ્ઢય્ઝ્રછ ક્્યારે મુસાફરો પર દયા કરશે, એરલાઇન્સ પર કડક કાર્યવાહી કરશે અને તેમને ભાડા ઘટાડવાનું કહેશે, કે પછી ડ્ઢય્ઝ્રછ હંમેશની જેમ મૂક પ્રેક્ષક બનશે.
