Western Times News

Gujarati News

વીમા કાયદા સુધારો બિલ, 2025 સંસદે મંજૂર કર્યુંઃ સસ્તું અને સારું વીમા કવરેજ મળશે

વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવી

નવી દિલ્‍હી, સરકાર સામાન્‍ય માણસ સુધી વીમા કવરેજ વિસ્‍તારવા માટે સતત કામ કરી રહી છે. આ પ્રયાસના ભાગ રૂપે સંસદે બુધવારે સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદા સુધારો) બિલ, ૨૦૨૫ ને મંજૂરી આપી.

આ બિલ પસાર થયા પછી વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદા ૭૪% થી વધારીને ૧૦૦% કરવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્‍યું હતું કે આનાથી દેશમાં નવી વીમા કંપનીઓ, બ્રોકર્સ અને સહાયક સેવાઓ આવશે. આના ફાયદા એ થશે કે વીમા ક્ષેત્રનો વ્‍યાપ વધશે અને રોજગારની તકો ઉભી થશે. લોકસભાએ મંગળવારે આ બિલને મંજૂરી આપી. રાજ્‍યસભાએ બુધવારે તેને મંજૂરી આપી.

આ બિલ પસાર થયા પછી વીમા ક્ષેત્રમાં કયા ફેરફારો થશે અને તેનાથી સામાન્‍ય માણસને કેવી રીતે ફાયદો થશે? ૧૦૦% FDI ની મંજૂરીથી સામાન્‍ય માણસને સસ્‍તું અને સારું વીમા કવરેજ મેળવવાનું સરળ બનશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહને ખાતરી આપી હતી કે આ પગલું વીમા ક્ષેત્રને મજબૂત બનાવશે અને ૨૦૪૭ સુધીમાં બધા માટે વીમો ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ બિલ વીમા અધિનિયમ ૧૯૩૮, LIC અધિનિયમ ૧૯૫૬ અને IRDAI અધિનિયમ ૧૯૯૯ જેવા જૂના કાયદાઓમાં સુધારો કરે છે.

મુખ્ય મુદ્દા

  • વીમા કાયદા સુધારો બિલ, 2025 સંસદે મંજૂર કર્યું.
  • વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવી.
  • આ પગલાથી દેશમાં નવી વીમા કંપનીઓ, બ્રોકર્સ અને સહાયક સેવાઓ આવશે.
  • સામાન્ય માણસને સસ્તું અને સારું વીમા કવરેજ સરળતાથી મળશે.
  • સરકારનું લક્ષ્ય છે કે 2047 સુધીમાં “બધા માટે વીમો” હાંસલ થાય.

LIC અને IRDAI પર અસર

  • LIC ની AUM 2024-25માં 6.45% વધીને ₹54.52 લાખ કરોડ થઈ.
  • સોલ્વનસી માર્જિન 1.98 થી વધીને 2.11 થયું.
  • નવા વ્યવસાયનું મૂલ્ય (VNB) ₹9,583 કરોડથી વધીને ₹10,011 કરોડ થયું.
  • IRDAI એ નિયમ બનાવ્યો છે કે દરેક વીમા કંપનીએ પોતાની સંપત્તિ જવાબદારીઓ કરતાં દોઢ ગણી રાખવી જોઈએ.

રોજગાર અને અર્થતંત્ર પર અસર

  • નવા ખેલાડીઓ આવતા વીમા ઇકોસિસ્ટમનો વિસ્તાર થશે.
  • એજન્ટો અને દલાલોને વધુ બજાર, વધુ ઉત્પાદનો અને વધુ ગ્રાહકો મળશે.
  • FDI 26% થી 74% વધારાથી નોકરીઓમાં ત્રણ ગણો વધારો થયો હતો; 100% FDIથી ભવિષ્યમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.
  • કૌશલ્ય વિકાસ અને ઔપચારિક રોજગારમાં વધારો થશે.

વિપક્ષની ચિંતા

  • વિપક્ષે દાવો કર્યો કે આ પગલાથી નોકરીઓ ઘટશે અને બિલ ઉતાવળમાં પસાર થયું.
  • નાણામંત્રીએ આ દાવાને નકારીને કહ્યું કે આ વ્યવસ્થિત પ્રક્રિયા હતી, જેમાં રાજ્યો, નિયમનકારો, ઉદ્યોગ સંગઠનો અને સામાન્ય લોકોના 13,000થી વધુ પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.