Western Times News

Gujarati News

5 રાજ્યોમાંથી ગાયબ થયા હતા બાળકો: બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા

પ્રતિકાત્મક

આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લેખક અક્ષત ગુપ્તાએ ભારતમાં બાળકોના અપહરણ અને તેમના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અંગે ગંભીર ચર્ચાઓ કરી છે. આ ચર્ચા મુજબ, સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વનો કેસ પેન્ડિંગ છે, જે પાંચ રાજ્યો—ઝારખંડ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આસામમાંથી ગાયબ થયેલા બાળકો સાથે જોડાયેલો છે.

આંકડાઓ મુજબ, આ પાંચ રાજ્યોમાંથી અંદાજે ૭૫,૦૦૦ ગરીબ બાળકો ગાયબ થયા હતા. જ્યારે પોલીસ તપાસમાં કોઈ સફળતા ન મળી, ત્યારે બાદમાં જાણવા મળ્યું કે આ તમામ બાળકો કેરળના વિવિધ અનાથાલયોમાં રાખવામાં આવ્યા હતા.

જસ્ટિસ અશોક ભૂષણ, જેઓ તે સમયે કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, તેમણે આ મામલે ઝ્રમ્ૈં તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં એવું બહાર આવ્યું કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તન કરવાના હેતુથી જ કિડનેપ કરવામાં આવ્યા હતા. કેરળના આ કેન્દ્રોમાં બાળકોના નામ બદલી નાખવામાં આવ્યા હતા, તેમનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો હતો અને તેમનું ખતના પણ કરી દેવામાં આવ્યું હતું.

વીડિયોમાં જણાવ્યા અનુસાર, જ્યારે આ બાળકોના ડ્ઢદ્ગછ ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે આ બાળકો વર્ષો પહેલા અલગ-અલગ રાજ્યોના પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની નોંધણી થયેલી હતી. ઘણા બાળકો ૧ વર્ષ, ૨ વર્ષ કે ૫ વર્ષથી ગુમ હતા, જેમને આ કેન્દ્રોમાં ધાર્મિક શિક્ષણ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું.

આ મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેને ભારતનો અત્યાર સુધીનો સૌથી ગંભીર માનવ તસ્કરી અને ધર્મ પરિવર્તનનો કેસ માનવામાં આવે છે. ગરીબ પરિવારોના બાળકોને નિશાન બનાવીને કરવામાં આવતું આ ષડયંત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સંતુલન માટે મોટો પડકાર બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.