કપડવંજમાં સર્વમંગલા માતાજીની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/16-7.jpg)
કપડવંજના રત્ન દેવસુરી તપાગચ્છ સમાચારી સંરક્ષણ આગમોદ્ધારક પ.પૂ. આચાર્ય આનંદસગાર સુરીશ્વરજી મ.સા. ની જન્મભૂમિ માં નેમીનાથજી જૈન દેરાસર કુળદેવી સર્વમંગલા માતાજી સાલગીરાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત નગરના રાજમાર્ગો ઉપર માતાજીની શોભાયાત્રા નીકળી હતી.. સાલગીરાહ નિમિત્તે સમસ્ત કપડવંજ ઉપરાંત અમદાવાદ મુંબઇ વગેરે સ્થળોએથી જૈન સમાજના લોકોએ ધર્મલાભ લીધો હતો