Western Times News

Gujarati News

પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : ભાગવત

ભૂતપૂર્વ સૈન્ય ચીફ મનોજ નરવણેએ હોસાબલેના મંતવ્યોને સમર્થન આપ્યું

આપણો દેશ હિટલર જેવો નથી અને તેથી જ આપણે સંવાદના દરવાજા સંપૂર્ણપણે બંધ ન કરવા જોઈએ

નવી દિલ્હી,આરએસએસ ચીફ મોહન ભાગવતે સંઘના જનરલ સચિવ દત્તાત્રય હોસાબલેના પાકિસ્તાન સાથે વાટાઘાટની ભલામણ કરતા નિવેદનોને સમર્થન આપતા જણાવ્યું કે સંગઠન કોઈ સ્વતંત્ર વિદેશ નીતિ નથી ધરાવતું. થિરુવનંથપુરમમાં એક કાર્યક્રમ દરમ્યાન બોલતા ભાગવતે સ્પષ્ટતા કરી કે આરએસએસ પડોશી દેશો પ્રત્યે સરકારે અપનાવેલા વલણને ટેકો આપે છે.ભાગવતે નોંધ કરી કે તણાવપૂર્વકના સંબંધો છતાં પાકિસ્તાનમાં એવી પણ વ્યક્તિઓ છે જેઓ ભારતના ભાગલા તેમજ બે રાષ્ટ્રના સિદ્ધાંત સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

તેમના મતે અનેક પાકિસ્તાનીઓ માને છે કે સહઅસ્તિત્વ બહેતર હતું અને તેઓ આરએસએસ તેમજ તેની ગતિવિધિઓની પ્રશંસા પણ કરી રહ્યા છે. તેમણે આ લાગણીને દબાયેલી ભાવના ગણાવતા કહ્યું કે તેની અવગણના ન થવી જોઈએ.ભારતના સાંસ્કૃતિક મૂલ્યો પર ભાર મુકતા ભાગવતે કહ્યું કે આપણો દેશ હિટલર જેવો નથી અને તેથી જ આપણે સંવાદના દરવાજા સંપૂર્ણપણે બંધ ન કરવા જોઈએ. તેમણે દલીલ કરી કે અન્યાય અને તાનાશાહીનો નિર્ણાયક સામનો કરવો જરૂરી છે પણ ભાવિના નિર્ણયોમાં શાંતિ અને સમાધાન માટેની તકો જાળવી રાખવી જોઈએ.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પર નિર્ણાયક વિજય મળે તો પણ તેની વસતીને સુમેળના વ્યાપક માળખામાં સામેલ કરવી જોઈએ અથવા તેઓ પોતાના રાષ્ટ્રમાં શાંતિથી રહી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.ભાગવતના નિવેદનો હોસાબલેના અગાઉના મંતવ્યોને સમર્થન આપે છે જેમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મ-સન્માનની રક્ષા સાથે સંવાદ માટે અપીલ કરી હતી.ભૂતપૂર્વ સૈન્ય ચીફ મનોજ નરવણેએ હોસાબલેના મંતવ્યોને સમર્થન આપ્યું હતું પણ મહેબૂબા મુફ્તી અને કપિલ સિબ્બલ જેવા વિપક્ષી નેતાઓએ તેની ટીકા કરતા ભારત-પાકિસ્તાન સંબંધો બાબતે વ્યાપક રાજકીય ચર્ચા છેડાઈ હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.