Western Times News

Gujarati News

મુસ્લીમો નિર્દોષ છે છતાં વર્ષોથી જેલનો સામનો કરી રહ્યાં છે: ઓવૈસી

નવીદિલ્હી, ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લીમીન પાર્ટીના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જેલમાં બંધ મુસ્લિમોની સંખ્યાથી જાેડાયેલ એક અહેવાલ પર ટ્‌વીટ કર્યું છે ઓવૈસીએ લખ્યું મુસ્લિમ પુરૂષોને પહેલાથી જ મોટી સંખ્યામાં બંદી બનાવી રાખવામાં આવ્યા હતાં પરંતુ હવે તેમની સંખ્યા વધુ વધી ગઇ છે. કાનુનની નજરમાં આ લોકો નિર્દોષ છે પરંતુ તે હજુ પણ વર્ષો સુધી જેલનો સામ્નો કરે છે.આ પ્રણાલીગત અન્યાયનો એક વધુ પુરાવો છે જેનો આપણે સામનો કરી રહ્યાં છીએ.

ઓવૈસીએ જે અહેવાલને શેયર કરતા આ વાત કહી છે તે અનુસાર રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોએ દેશની જેલોમાં બંધ કેદીઓથી જાેડાયેલા આંકડા જારી કર્યા હતાં આંકડાથી ખબર પડે છે કે જેલોમાં બંધ મુસ્લિમો દલિતો અને આદિવાસીઓની સંખ્યા દેશમાં તેમની વસ્તીના અનુપાતથી અલગ છે જયારે અન્ય પછાત વર્ગ અને ઉચ્ચ જાતિથી જાેડાયેલ લોકોના મામલામાં આવું નથી.

રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯ના આંકડાથી ખબર પડે છે કે મુસ્લિમ સમુદાયથી આવનારા જેલમાં બંધ કેદીઓની જગ્યાએ વિચારાધીન વધુ છે.વર્ષ ૨૦૧૯ના અંતમાં દેશભરની જેલોમાં કેદ તમામ દોષિતોમાંથી ૨૭.૭ ટકા દલિત છે વિચારાધીન કેદીઓમાં અનુસૂચિત જાતિથી આવનારા લોકોની સંખ્યા ૨૧ ટકા છે.૧૪.૨ ટકાની વસ્તીની સાથે દોષિત જણાયેલ મુસ્લિમોની સંખ્યાની ટકાવારી ૧૬.૬ છે પરંતુ તેમાંથી ૧૮.૭ ટકા કેદીઓના મામલા વિચારાધીન છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.