ગોંડા બહરાઇચ રાજમાર્ગ અકસ્માત પાંચના મોત
લખનૌ, ઉત્તરપ્રદેશમાં ગોંડા બહરાઇચ રાજમાર્ગ પર સુકઇ પુરવા ચાર રસ્તા પર આજે સવારે માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજયા હતાં ચાર રસ્તા પર ઉભેલી ખરાબ ટ્રકમાં ગોંડા તરફથી આવી રહેલ સવારીએ ટકકર મારી દીધી હતી. ટકકર એટલી તેજ હતી કે ગાડીના પરખેપડખા ઉડી ગયા હતાં ઘટના સ્થળ પર જ બે લોકોના મોત નિપજયા હતાં જેમાં એકની ઓળખ મિકઉ સુલ્તાનપુર નિવાસી પવનકુમાર ઉવ ૩૨ અને બીજાની સીવાન બિહાર નિવાસી જીતેન્દ્ર ગિરી ૪૬ના રૂપમાં કરવામાં આવી છે.ઇજા પામેલા લગભગ ૧૪ લોકોને એસઓ પ્રયાગપુર સીએચસી લઇ જવામાં આવ્યા જયાં ત્રણે ઇજા પામેલાઓએ અંતિમ શ્વાસ લીધા હતાં. ગંભીર ઇજા પામેલાઓને સીએચસીથી મેડિકલ કોલેજ બહરાઇચ મોકલી આપવામાં આવ્યા છે. આ અંગેની જાણ પોલીસને તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તપાસ શરૂ કરી છે.HS