રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ ઇસરી પી.આઈ આર.આર તાવીયાડને સસ્પેન્ડ કરતા પોલીસેબેડામાં ખળભળાટ
હત્યા થયેલ મૃતક યુવક જીવીત હોવાના કેસમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ
ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએ તાપસ થશે કે નહિ…? ની ચર્ચા વચ્ચે નવનિયુક્ત રેન્જ આઈ જી અભય ચુડાસમાએ અરવલ્લીના ઇસરી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.તાવીયાડે હત્યાનો ગુન્હો ઉકેલવામાં કરેલી ગંભીર બેદરકારી દાખવી હોવાનું ફલીત થતા પીઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
પરંતુ આ ઘટનાને પાંચ મહિના બાદ મૃતક ઈશ્વર મનાત પોતાના વતન ખરપેટા પરત આવતા ઘરના સદસ્યો પણ ઘડીક વિચારમાં પડી ગયા અને સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો. ત્યારે ખરેખર જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો. પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને દબાણ કરીને હત્યા કર્યું હોવાનું કબૂલ્યું હતું કે કેમ.તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું
મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પાંચ મહિના ગુમ રહેવા મામલે ઈશ્વરે ત્યારે જણાવ્યું કે, હું મજૂરીકામ અર્થે જૂનાગઢ ગયો હતો અને લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. તો મારી જગ્યાએ મારા નામે પોલીસે બીજા કોઈનો મૃતદેહ દફનાવી મારા ભાઈઓને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે અને ખોટી રીતે હત્યા કરી હોવાની કબૂલાત કરાવી છે. તો આ મામલે ઈશ્વરના ભાઈઓએ પણ જણાવ્યું કે, ઇસરી પોલીસે ગાડીમાં લઈ જઈ માર મારી હત્યા કરી હોવાનું કબૂલવા મજબૂર કર્યા હતા.
સમગ્ર મામલે ઈસરી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી અને હત્યાનો ભેદ ઉકેલવાની લાહ્યમાં કાચું કાપી નાખ્યું હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું હતું ત્યારે ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમાએ ઈસરી પી આઈ આર.આર.તાવીયાડને ફરજ મોકૂફ કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે