Western Times News

Gujarati News

ભગવાન કૃષ્ણના દર્શન કરવા ચિત્તોડગઢ પહોંચ્યો સંજય દત્ત

ચિત્તોડગઢ, બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત રવિવારે મેવાડના કૃષ્ણધામ શ્રી સાંવલિયા શેઠ પહોંચ્યા. રાજસ્થાનના ચિત્તોડગઢના મણ્ડફિયા સ્થિત શ્રી સાંવલિયાજી મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે પહોંચેલા સંજય દત્તે આ દરમિયાન દર્શન કરીને પ્રભુને મનોકામના કરી હતી. આ દરમિયાન સંજય દત્ત જેવો આ સ્થળે પહોંચ્યો ત્યાં જ તેના પ્રશંસકોની ભીડ ઉમટી પડી હતી.

મળતી માહિતી મુજબ, સંજય દત્ત અચાનક આ સ્થળે પહોંચતા પ્રશંસકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો. લોકો અહીં સંજય દત્તને ફિલ્મી નામો જેવા કે સંજુ, ખલનાયક કહીને બોલાવતા જાેવા મળ્યા હતા. આ રીતે ત્યાં સંજય દત્તનું સ્વાગત કરવામાં આવ્યું અને તેના પ્રશંસકો પણ લાંબા સમય સુધી પોતાના મનગમતા સ્ટારને નિહાળતા રહ્યા હતા. આ દરમિયાન ત્યાં સંજય દત્ત અને તેની બહેનનું પારંપરિકરીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે સંજય દત્તના કોઈ નજીકના વ્યક્તિએ તેને અહીં સાંવલિયા શેઠની મહિમા વિશે જણાવ્યું હતું. આ કારણે સંજય દત્ત મુંબઈથી પ્લેનમાં ઉદયપુરના ડબોક પહોંચ્યો હતો અને ત્યાંથી ગાડીમાં સાંવલિયાજી પહોંચ્યો હતો. અહીં દર્શન કરીને તે મુંબઈ પરત રવાના થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.