Western Times News

Gujarati News

રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે

રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું છે કે રાજ્યના ૪ મહાનગરોમાં તા. ર૮ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

શ્રી પંકજકુમારે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં મંગળવાર તા.૧૬ ફેબ્રુઆરીથી તા.ર૮ ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કરફયુ વ્યવસ્થા અંતર્ગત રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુ અમલી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.