Western Times News

Gujarati News

જર્મનીમાં ૨૮ માર્ચ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું

બર્લિન: જર્મનીએ દેશણાં કોરોના વાયરસનો સામનો કરવા માટે ત્રણ અઠવાડીયા સુધી એટલે કે ૨૮ માર્ચ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે જાે કે આ દરમિયાન કેટલાક પ્રતિબંધોમાં છુટ આપવામાં આવશે જર્મનીના ચાંસલર એંજેલ મર્કેલ અને દેશમાં ૧૬ રાજયોના ગવર્નરની વચ્ચે લગભગ નવ કલાક ચાલેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો આ દરમિયાન કોરોના વાયરસના નવા સ્વરૂપના વધતા ખતરા અને સામાન્ય જીવનને પાટા પર પર લાવવાને લઇ ચર્ચા કરવામાં આવી હતી.

દેશમાં ગત અઠવાડીયે છાત્રાઓ માટે પ્રાથમિક સ્તરની સ્કુલો ખોલવામાં આવી હતી જયારે લગભગ અઢી મહીના બાદ હેયરડ્રેસર કામ પર પાછા ફર્યા હતાં. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે લોકડાઉનના નવા નિયમ દેશમાં રવિવારથી લાગુ કરવામાં આવશે મર્કેલ અને રાજયોના ગવર્નરે પ્રતિબંધમાં ઢીલ આરવાની એક તબક્કાવાર યોજના પણ તૈયાર કરી છે.

બર્લિનમાં મર્કેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ પગલુ આપણને આગળ તરફ લઇ જવા માટે હોવું જાેઇએ પરંતુ સાથે જ તેનાથી વાયરસનો સામનો કરવાની દિશામાં અત્યાર સુધી હાંસલ થયેલી પ્રગતિ પ્રભાવિત થવી જાેઇએ નહીં તેમણે કહ્યું કે યુરોપમાં ત્રીજી લહેરના અનેક ભયાનક ઉદાહરણ મોજુદ છે મર્કલે સંકલ્પ કર્યો કે ૨૦૨૧ની વસંત ગત વર્ષની વસંતથી અલગ હશે તેમણે કહ્યું કે જે ક્ષેત્રોાં સંક્રમણના મામલા ઓછા છે ત્યાં બિન જરૂરી સામગ્રીની દુકાનો સંગ્રહાલય અને અન્ય કેન્દ્ર સીમિત સમય માટે ખોલવામાં આવશે મોટાભાગની દુકાનોમાં ૧૬ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવેલ લોકડાઉનના સમયથી જ બંધ છે. જયારે રેસ્તરાં બાર ખેલ કેન્દ્ર વગેરે ગત વર્ષ બે ડિસેમ્બરથી બંધ છે હોટલને ફકત વ્યવસાય માટે યાત્રા કરનારા લોકોને રહેવાની મંદુરી આપવામાં આવી હતી.

જર્મનીના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના રોબર્ટ કોચે કહ્યું કે ગત અઠવાડીયે લગભગ ૨૫ હજાર નમુનોની તપાસ કરવામાં આવી જેમાં ૪૬ ટકામાં બ્રિટેનમાં સામે આવેલ કોવિડ ૧૯ના નવા સ્વરૂપ મળ્યા હતાં. હાલમાં સંક્રમિતોની સંખ્યા ૨૪.૬ લાખ છે જયારે ૪૧૮ વધુ દર્દીના મત થયા બાદ મૃતકનો આંક વધીને ૭૦૮૮૧ થઇ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.