Western Times News

Gujarati News

પ્રાંતિજના સીતવાડાના વતની અને ભાજપ ના પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડનુ નિધન 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા ગામના વતની અને સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ભાજપ ના પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ નુ કોરોના ને લઈ ને સારવાર દરમ્યાન નિધન તો તેમના નિધન ને લઈ ને તાલુકા સહિત જિલ્લામા શોક નો માહોલ  .

પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના વતની અને સરપંચ થી લઈ ને ડેલિકેટ અને સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ભાજપ ના પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી મા શરૂઆત થીજ ભાજપ સાથે વરાયેલા જયેન્દ્રસિંહ રાઠોડ નુ કોરોના ને લઈ ને હિંમતનગર ખાતે સારવાર દરમ્યાન નિધન થયુ છે તો ગત સપ્તાહ મા જ તેમના ધર્મ પત્ની નુ પણ નિધન થયુ હતુ

તો પૂર્વ પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ ના નિધન ને લઈ ને પરિવાર સહિત સંગાસંબધીઓ ગ્રામજનો ભાજપ આગેવાનો કાર્યકરો સહિત ભાજપ મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ તો તેમના કરેલ કાર્યો અને જનતાલક્ષી કાર્યો સદાય યાદ રહેશે ત્યારે હાલ પૂર્વ પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ ના નિધન ને લઈ ને પ્રાંતિજ તાલુકો સહિત જિલ્લામા શોક જોવા મળી રહ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.