Western Times News

Gujarati News

રશિયાની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, ૧૧ના મોત, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બારીમાંથી લગાવી છલાંગ

મોસ્કો: રશિયાના કઝાન શહેરની એક શાળામાં ભારે ગોળીબાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગોળીબારની આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૧ લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થઈ રહ્યા છે. જાેકે કેટલા વિદ્યાર્થીઓના મોત થયાં છે તેના વિશે હજી સુધી ચોક્કસ જાણકારી સામે આવી નથી.પરંતુ અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ૩૨ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રશિયન સમાચાર એજન્સી આરઆઈએના અહેવાલ મુજબ બે હુમલાખોરોએ સ્કૂલ ઉપર જાેરદાર ફાયરિંગ કર્યું છે.

શાળામાં ગોળીઓ વરસાવનાર હુમલાખોર કોણ છે અને ગોળી કેમ ચલાવી રહ્યા છે તે અંગે કોઇ ચોક્કસ ખુલાસો થઇ શક્યો નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શાળાના ચોથા મકાન પર ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. પોતાના અહેવાલમાં ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે શાળાની અંદરથી વિસ્ફોટના અવાજાે પણ આવી રહ્યા છે, જ્યારે સુરક્ષા દળોએ એક હુમલાખોરને મારવામાં સફળતા મેળવી છે. આ હુમલા અંગે અનેક વિડિઓઝ પણ બહાર આવી રહી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે શાળાની અંદર ગોળીઓનો વરસાદ વરસી રહ્યો છે.

બાળકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યા છે, રશિયન સમાચારપત્ર મોસ્કો ટાઇમ્સે ૧૧ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મોસ્કો ટાઇમ્સના અહેવાલ મુજબ, જે શાળામાં હુમલો થયો તે એક ઉચ્ચ શાળા છે, અને તેની પુષ્ટિ થઈ છે કે એક શિક્ષક અને આઠ વિદ્યાર્થીઓ માર્યા ગયા છે, પરંતુ વધુ લોકોના મોત અને ઘાયલ થવાની સંભાવના છે. તે જ સમયે, મોસ્કો ટાઇમ્સના અહેવાલ મુજબ, શાળાની અંદર ફાયરિંગ દરમિયાન ઘણા બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદ્યા હતી, જેમાં ઘણા બાળકો ઘાયલ પણ થયા હતા. તે જ સમયે, ત્રીજા માળેની બારીમાંથી કૂદવાના કારણે ૨ બાળકોના મોતની પુષ્ટિ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.